SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઃ ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૨ ચારે આહારનો ત્યાગ હેાય છે. ઇગિતમારણમાં પણ તે જ પ્રમાણે હોય, પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્ત પરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે તથા ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ હેય છે. ઉપવાસથી છ માસ સુધીનું અનશન ઈવર છે. ઊણેદરી :- અ૯૫ આહાર ખાવાથી પિટ પૂરું ન ભરવું તે ઊણેદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. એાછું ખાવું એ દ્રવ્ય ઊદરી છે. બત્રીશ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કેળિયાથી એક વગેરે કેળિયા જેટલે આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊંદરીના અનેક પ્રકાર છે. કષાને ત્યાગ ભાવ ઊણોદરી છે. વૃત્તિસંક્ષેપ - વૃત્તિ-ભિક્ષાચર્યા. સંક્ષેપ=અપ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહ લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે - લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. ગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા, મશ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાલ અભિગ્રહ છે. મૂળ ભજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂકયું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઈત્યાદિ ભાવ અભિગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy