SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬૨ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૬-૨૭ પાસે જવા આજ્ઞા કરે, તે આચાર્ય પણ ગૂઢ ભાષામાં કહેલા અતિચારો સાંભળીને પોતે ત્યાં જાય, અથવા અન્ય ગીતાથને ત્યાં મોકલે, અથવા આવેલા અગીતાર્થને જ સાંકેતિક ભાષામાં આલોચના કહે. ધારણ- ગીતાર્થ ગુરુએ શિષ્યને દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય, શિષ્ય તેને યાદ રાખીને તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે. જીત - ગીતાર્થ સંવિગ્નએ પ્રવર્તાવેલો શુદ્ધ વ્યવહાર. પૂર્વના મહાપુરુષો જે અપરાધોમાં ઘણા તપથી પ્રાયશ્ચિત્ત આપતા હતા, તે અપરાધમાં વર્તમાન કાળ દ્રવ્યાદિની અને સંઘયણ–ધીરજ-બળ આદિની હાનિ થવાથી ઉચિત બીજા કેઈ ઓછા તપથી પ્રાયશ્ચિત્ત આપવું તે જીતવ્યવહાર અથવા કોઈ આચાર્યના ગચ્છમાં કારણસર કોઈ અપરાધમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી જુદું (ઉચિત) પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ શરૂ થઈ હોય, પછી બીજાઓએ પણ તે પ્રમાણે જ ચલાવ્યું હોય તે જીત વ્યવહાર. (૨૬). પ્રતિસેવા, પુરુષ વગેરેના ભેદથી આ પાંચ પ્રકારના વ્યવહારના અનુસાર આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આગમમાંથી જાણું લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy