________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૩ ) ુદ્દો.
भक्तबीज पलटे नहि, जाये जुग अनन्त । उंचनीच घर अवतरे, अन्त सन्तको सन्त ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવદ્ગીતાના યોગાધ્યાયમાં કહ્યું છે કે, ચોગભ્રષ્ટ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી તેવા પવિત્ર જ્ઞાની, લક્ષ્મીમન્ત ગૃહસ્થાના ઘેર ઉત્પન્ન થાય છે અને અન્તે પુન: યોગમાર્ગને પામી,ગુરૂ અને સામગ્રી પ્રાપ્ત કરીને સર્વ બન્ધનથી મુક્ત થાય છે.” આર્યાવર્તમાં પૂર્વે યોગમાર્ગનું દરેક વહુ સારી રીતે અવલંબન કરતી હતી. હાલ યોગમાર્ગના સેવનવિના આર્યાવર્તની અધોગતિ થએલી અવબેાધાય છે. અધ્યાત્મજ્ઞાન પામીને યોગમાર્ગમાં આગળ વધી શકાય છે.
અધ્યાત્મજ્ઞાનથી ચાગપર્વતની બ્રહ્મગુફામાં સહેજે પ્રવેશ થાય છે, માટે યાગીઓએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ચોગમાર્ગમાં પ્રવેશ કરવા એમ અમારાથી સૂચના કરાય છે. ગમે તેવા રાગદ્વેષના પ્રસંગેામાં અધ્યાત્મજ્ઞાનથી યાગી પેાતાના વિચારોમાં અડગ અને શુદ્ધાયવસાયવાળે રહી શકે છે. જેમ જેમ શુદૃાય્યવસાયની વૃદ્ધિ થાય છે તેમ તેમ અશુભકર્મની નિર્જરા થાય છે અને શુભકર્મના અન્ય પડે છે. અધ્યાત્મજ્ઞાનથી, હું આત્મા છું એવા અનુભવ થતાં ચારિત્રયાગમાર્ગમાં પ્રવેશ થાય છે. ચારિત્રયાગની ઉપાસના કરતાં અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા થાય છે. મહામુનિયા જણાવે છે કે, “ બાહ્ય અને અભ્યન્તર ચારિત્ર પામતાં શુદ્ધાત્મજ્ઞાનના રસ પ્રકટે છે. સદાચાર પાળવાથી અધ્યાત્મજ્ઞાનના શુદ્ધ ભાવ પ્રકટે છે. ”
આગાના શ્રવણુ વાચન અને મનનથી સત્યાધ્યાત્મજ્ઞાન પ્રકટે છે. પંચમહાવ્રતધારી મુનિયાના હૃદયમાં ખરેખર આવા ઉત્તમ અધ્યાત્મામૃતરસ રેડાય છે, અને તેથી તે જગતના જીવાને તારવા માટે સમર્થ થાય છે, તેમજ પરમાત્મપદ પામવા માટે સમર્થ થાય છે. ગૃહસ્થા તે મુનિરાજોની સેવાથી પેાતાના અધિકારપ્રમાણે-અમુકાશે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વ્યવહારનય અને નિશ્ચયનયને જેઆ માને છે તે અધ્યાત્મજ્ઞાનની ખરી દશા પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માની ઉજ્જલતા વૃદ્ધિ પામે છે. અન્ય દર્શની, એટલે વેદાન્તનાનીઓ વગેરે પણ અધ્યાત્મજ્ઞાનની મહત્તા દર્શાવે છે.
आत्मानं रथिनं विद्धि-शरीरं रथ मेव च । बुद्धिं तु सारथिं विद्धि- –મનઃ પ્રપ્રદમેવ ચ ॥
ભ. ઉ. ૧૫
For Private And Personal Use Only
कठ०