________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪)
છે. સપક્ષપણું એટલે સપક્ષમાં છતાપણું તે આ પ્રમાણે, જે જે ધૂમવાનું હોય છે તે તે અગ્નિમાન હોય છે, આ રસોડામાં ધૂમ્ર છે તેથી ત્યાં અગ્નિ છે, તેમ આ પર્વત ઘૂમવાનું છે તેથી ત્યાં અગ્નિ છે, એ સપક્ષ કચ્યું. વિપક્ષમાં અછતાપણું તે આ પ્રમાણે છે, જલાશયમાં ધૂમ નથી માટે તે અગ્નિમાન નથી, એમ અવધવું તે વિપક્ષપણું જાણવું. આ ત્રણ રૂપવડે અનુમાન પ્રમાણુ સિદ્ધ થાય છે અને તેથી સાધ્યની સિદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનનું સ્વરૂપ સામાન્યતઃ અવબોધવું.
ગૌતમબુદ્ધે પિતાને ધર્મ વિસ્તારવા માટે ઘણું સાધુઓ અને સાધ્વીઓ બનાવી. ગામેગામ અને શહેરો શહેર બૌદ્ધધર્મ પ્રસરવા લાગ્યો. બૌદ્ધધર્મના આચાર્યો અન્યધર્મોની સાથે હરિફાઈ કરવા લાગ્યા. પોપકાર ગુણને અને ક્ષણિકત્વને મુખ્ય કરીને તેઓએ ઉપદેશ આપે, તેથી બાલ પણ પરેપકાર ગુણનો લાભ લેઈને તે ધર્મમાં દાખલ થવા લાગ્યા. કેટલાક સામાન્ય રાજાઓએ તે ધર્મને સહાય આપી. બૌદ્ધધર્મ ચાર વર્ણને અનુક્રમ તોડી નાખ્યો અને તેઓ સકલ માનવ જાતને એકસરખી માનવા લાગ્યા. બૌદ્ધધર્મીઓ વેદધમીઓને પોતાના ધર્મમાં યજ્ઞ વગેરેમાં દેવ બતાવીને ખેંચવા લાગ્યા અને પોતાના ધર્મની પ્રભુતા કરવા લાગ્યા, પણ તેમના ક્ષણિક વાદના સામે માત્ર જૈનધર્મીઓ બહાદુરીથી ઉભા રહ્યા અને તેથી બૌદ્ધો પરાજય પામ્યા. જૈનધર્મના આચારે અને વિચારે એ બૌદ્ધોને પણ જૈનો બનાવ્યા; વેદધર્મીઓને પણ જેનો બનાવ્યા. આર્ય સુહસ્તિ અને સંપ્રતિ રાજાના સમયમાં, એટલે આજથી લગભગ બાવીસ વર્ષ ઉપર જેનધર્મ હિન્દુસ્થાનની ચારે દિશાએ પ્રસર્યો હતો. જૈન સાધુઓ અને સાધવીઓના આચાર અને ઉપદેશથી દુનિયાનું લક્ષ્ય જૈનધર્મપ્રતિ ખેંચાયું હતું. જૈનધર્મની સાથે હરિફાઈ કરતાં બૌદ્ધધર્મ પાછો પડ્યો હતો; ભલ્લવાદસૂરિના વખતમાં બન્ને ધર્મની વલ્લભીપુર નગરમાં શિલાદિત્ય નૃપતિ સમક્ષ ચર્ચા ચાલી અને તેમાં બૌદ્ધધર્મના આચાર્યો હાર્યા અને પરદેશ ગમન કરવું પડ્યું તથા શંકરાચાર્યના વખતમાં પણ બૌદ્ધોને ઘણું ખમવું પડ્યું, તેથી હિન્દુસ્થાનમાંથી બૌદ્ધધર્મ અન્ય દેશમાં પ્રયાણ કર્યું. વેદાન્તીઓની સાથે જૈનાચાર્યો ઉભા રહ્યા, અર્થાત્ ધર્મશાસ્ત્રોની ચર્ચામાં જૈનાચાર્યો અોની સામે ઉભા રહીને પોતાના ધર્મને ફેલાવવા લાગ્યા. દક્ષિણમાં અને ગુજરાતમાં ઘણું રાજાઓએ જૈનધર્મને માન આપ્યું અને જેનધર્મને પાળનારા કુમારપાલ વગેરે રાજાઓ થયા. બૌદ્ધધર્મમાં આત્માને ક્ષણિક માનવામાં આવે છે. ક્ષણે ક્ષણે આત્મા ઉપજે છે અને ન
For Private And Personal Use Only