________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ગીતાર્થ સાધુઓ અનન્તગુણ ઉત્તમ અવધવા. ઉત્તમ જ્ઞાનસંપન્ન સાધુએ આત્મભોગ આપીને દુનિયાના મનુ વગેરેનું સારી રીતે કલ્યાણું કરી શકે છે. સાધુ માર્ગના પ્રતિપક્ષીઓનું પણ સાધુઓ શ્રેયઃ કરવા પ્રયત્ન કરે છે અને તેના પર મૈત્રીભાવને ધારણ કરે છે. જગ
માં પવિત્રતાને સાધુઓ સદાકાળ ફેલાવ્યા કરે છે. અન્યાયી રાજાઆને પણ પ્રતિબંધ આપીને ધર્મમાં જનાર પૂર્વ ઘણું સાધુઓ થઈ ગયા છે. પિસ્તાલીશ આગમમાં સાધુઓના આચારસંબધી ઘણું કહેવામાં આવ્યું છે. કેઈવખત ઘણું નાસ્તિક મનુષ્ય પ્રગટ થાય છે અને ધર્મની હાનિ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે સાધુવેષે યુગપ્રધાન આચાર્ય વગેરે સાધુઓની ઉત્પત્તિ થાય છે અને તેઓ નાસ્તિકવાદને નાશ કરીને જૈનધર્મનો ફેલાવો કરે છે. કંચનકામિનીના ત્યાગી અને આત્મભોગ આપીને ધર્મને ઉપદેશ દેનારા, એવા સાધુઓને પંચમ આરાના છેડાસુધી નાશ થવાને નથી. શુદ્ધ પ્રેમ અને દયાનું સ્થાન સાધુવર્ગ છે. ગૃહસ્થ સર્ષવના દાણું બબર છે અને સાધુઓ મેરૂપર્વતના સમાન મહાન છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, મેઘ, નદીઓ અને વનસ્પતિના ઉપકાર કરતાં સાધુઓનો અનન્તગુણ વિશેષ ઉપકાર છે. શ્રી સુધર્મસ્વામી, શ્રી ઉમાસ્વાતિવાચક, શ્રી શીલાંકાચાર્ય, શ્રી ભદ્રબાહુ, શ્રી વજસ્વામી, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચન્દ્ર, શ્રી હીરવિજયસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીમદ્દ યશેવિજય ઉપાધ્યાય, વગેરે મહાવિદ્વાન સાધુવર્ગથી જૈનશાસનની ઉન્નતિ થઈ છે. પંડિત સાધુઓના બનાવેલા હજારે પ્રત્યે અદ્યાપિ પર્યત મજુદ છે. ગૃહસ્થને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની આરાધના કરવી પડે છે અને સાધુઓને તો ધર્મ અને મોક્ષ એ બે વર્ગની આરાધના કરવાની હોય છે. સાધુઓ મરણુપર્યત પોતાનું જીવન ધર્મમાં ગાળે છે, અર્થાત્ તેઓ ધર્મના સદાકાલ નેતાઓ હોય છે. ગૃહસ્થના ઉપદેશ કરતાં સાધુઓએ આપેલા ધર્મોપદેશની અસર મનુને ઘણી થાય છે. સાધુઓને વેષ દેખતાં મનુષ્યોના મનમાં જુદા પ્રકારની ભાવના પ્રગટે છે. જડ વસ્તુઓ પણ પોતાના ધર્મની અસર ચેતનપર કરે છે, તે સાધુઓ અન્ય મનુષ્યપર ધર્મની પૂર્ણ અસર કરે તેમાં કઈ પણું પ્રકારનું આશ્ચર્ય નથી. આ જગતમાં વૈરાગ્યનું પાત્ર સાધુઓ વિના અન્ય કેઈ નથી. જેના હૃદયમાં કરૂણાને સમુદ્ર છે, તેવા સાધુઓ જગતમાં ઉત્તમોત્તમ પરેપકાર કરવા સમર્થ થાય છે. સંસાર અસાર છે એમ કહેનારા ઘણું ગૃહસ્થો ફેનોગ્રાફની પેઠે દેખાય છે, પણ સંસાર અસાર છે એવું પરિપૂર્ણ ભાન કરાવી આપનારા અને તેના પાત્રભૂત બનનારા તે સાધુઓ છે. દાન આપવાને માટે સાધુ
For Private And Personal Use Only