________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૫ ) ભાવાર્થ –શ્રદ્ધા સખી પિતાની સમતા સખીને કથે છે કે, હે સમતાસખી! તને આત્મ સ્વામિના વૃત્તાંતની ખબર નથી. દેખ-દેખ, વિવેક વધામણી લઈને આવ્યા છે, તેમને આત્મસ્વામિનું વૃત્તાંત પુછીએ !! આવું શ્રદ્ધાનું વચન સાંભળીને સમતા સખી, વિવેકને કહે છે કે, તમારું આવાગમન થતાં અમારા ગાત્રમાં મહાઆનન્દરૂપ જે સુખ થાય છે તે અપૂર્વ છે, તેનું વર્ણન શી રીતે કરી શકાય? તમે આવ્યા એટલે અમારા મનમાં નિશ્ચય થયો છે કે, તમે સ્વામિનું વૃત્તાંત લેઈને જ આવ્યા છે. અમારા સ્વામિને અને તમારે ગાઢ સંબંધ છે, અમારા સ્વામિને સત્ય કથનાર તમે છો. અમારા સ્વામિની સાથે તમે અમારા સંબધી વાર્તા કરીને કુમતિ વગેરેનો સંગ ત્યજાવવા પ્રયત્ન કરે છે, એમ અમારું હૃદય સાક્ષી પુરે છે, માટે તમે આવ્યા તેથી મહાનન્દ થયો. હવે અમારા પ્રાણજીવનના આધારભૂત ચેતનસ્વામિની ક્ષેમકુશલ વાર્તા કથા. અન્તરમાં આ સર્વ વૃત્તાંત અવલોકવું જોઈએ. સમતાનાં ઉપર્યુક્ત વચન સાંભળીને વિવેક પ્રસન્ન મનવડે સમતાની આગળ આત્માનું સ્વરૂપ વર્ણવે છે. અચલ, અબાધિત, આત્મદેવનું અસંખ્યાત પ્રદેશવાળું શરીર ક્ષેમકુશલ છે. અનન્તકાલ વ્યતીત થયે કિન્તુ આ ભાના અસંખ્યપ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખંડિત થયો નથી. આમાનું અસંખ્યપ્રદેશરૂપ શરીર પોતાના દ્રવ્યત્વથી ચલાયમાન થયું નથી. અનન્તકાળથી દ્રવ્યરૂપે જેવું છે તેવું ને તેવું સંપ્રતિ પણ છે અને ભવિષ્યમાં પણ તેવું જ રહેવાનું. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા ત્રણ કાલમાં એકરૂપે વર્તે છે. અસંખ્યપ્રદેશરૂપ શરીરને નિશ્ચયથી અબાધા વર્તે છે, અર્થાત આત્માના પ્રદેશોને નિશ્ચયથી જોતાં અન્યદ્રવ્ય બાધા કરવાને સમર્થ નથી. આમ ત્રણકાલમાં દ્રવ્યથી એકરૂપ વર્તે છે. તેનો જન્મ થયો નથી માટે તે અા કહેવાય છે. અસંખ્યાત પ્રદેશ કદી સર્વથા એકબીજાથી છૂટા પડતા નથી. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મામાં અનંત સુખ ભાસે છે. આત્માના સુખને ઘટાડે અને વધારો, એવી કથા માત્ર વ્યવહાર નથી છે. વ્યવહારનયથી જોતાં આત્મા કર્મવડે આચ્છાદિત થયો છે, અર્થાત આત્મા અને કર્મ એ બેને સંબધ વ્યવહારથી છે. આત્મા અને કર્મને પરસ્પર સંબન્ધ થાય છે અને આત્મા કર્મવડે બંધાય છે, તેમજ કર્મને નાશથી આત્માની મુક્તિ થાય છે, એમ વ્યવહારનયથી કહેવાય છે. આત્મા અને કર્મ, બંધ અને મોક્ષ. એમ બે લક્ષ્યની કથા વ્યવહારનયની અપેક્ષાએ કરાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને બબ્ધ નથી અને મોક્ષ પણ નથી. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને અનાદિકાળથી કુશળક્ષેમ છે. અનાદિકાળથી આત્મામાં સત્તાએ કુશલક્ષેત્વ રહ્યું છે;
ભ. ૪૮
For Private And Personal Use Only