________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬ર) અહિતસંયુક્ત વિચારોમાં પિતાનું જીવન વ્યતીત કરે છે. મિથ્થામતિના પાશમાં સપડાયેલા છો, એકનયની દૃષ્ટિવડે અમુક વિચારને ધર્મ તરીકે
સ્વીકારીને અન્ય નાના સાપેક્ષ વિચારો સામું ન જોતાં, મિથ્યાત્વવિચારની ધૂનમાં ને ધૂનમાં અનેક પ્રકારના અશુભ વિચારોને તાબે થઈને કર્મની રાશિને સંચય કરે છે. પહેલી ચોપડી ભણનારની આગળ જેમ એમ. એના સિદ્ધાન્ત કહીએ તો તેને તે વાત જૂઠી લાગે છે, તેમ નિગમ આદિ એક નયકથિત વસ્તુધર્મને માનનારાઓ અન્યાયકથિત વસ્તુઓના વિચારને જુઠા માને છે. દુનિયામાં કોઈપણ વચન ખરેખર સાપેક્ષ નયવાદથી વિચારમાં આવે તો અસત્ય નથી; કઈ પણ નયની અપેક્ષાએ કઈ વચન સત્ય હોય છે. જેટલા વચનના માર્ગ હોય છે તેટલા નયવાદે છે અને જેટલા નયવાદ છે તે પરસ્પર એકબીજાની સાપેક્ષતાની સાંકળવડે જોડાયેલા હોય છે.
અનેક જાતના વિચારોને નોની અપેક્ષાવિના મિશ્યામતિધારક મનુષ્યો, જૂઠા માનીને કઈ વસ્તુના એકાન્તધર્મને સ્વીકારીને પિતાનું જીવન બહુ સંકુચ ક્ષેત્રવાળું કરી દે છે. મિથ્યામતિથી અનેક પ્રકારના વિચારને તેની સાપેક્ષતાએ પિતાના હૃદયમાં ગોઠવી શકાતા નથી. સાત આંધળાઓએ હાથીના ભિન્ન ભિન્ન અંગેનો નિશ્ચય કરીને ભિન્ન ભિન્ન અંગોવાળ-હાથીને માની લેઈ પિતપોતાની માન્યતા સિદ્ધ કરવા લાગ્યા અને અંધ છતાં અનેક પ્રકારની વાણુનો આડંબર વધારીને
સ્વપક્ષ સ્થાપન કરવા લાગ્યા અને પરપક્ષમાન્ય અંગોનું ખંડન કરવા લાગ્યા. આંધળાઓનું સ્વપક્ષ અંગનું સ્થાપન કર્તવ્ય ખરેખર અંદશામાંજ શોભી શકે ! અને તેઓને તે કૃત્ય આનન્દપ્રદ થઈ શકે ! કિન્તુ જે તેઓની આંખો ઉઘડે તે પોતાના મિથ્થામતિના વિચારો માટે કેટલોબધે પશ્ચાત્તાપ થાય? તે તેઓ પોતે જ અવબોધી શકે. અંધદશામાં જે મતિ હોય છે તે ચક્ષુથી દેખવાની અવસ્થામાં હોતી નથી. અંધદશાના વિચારો ચક્ષુથી વસ્તુઓનું સમ્યગ્ગદર્શન થયા બાદ રૂપાન્તરને પામે છે. જગતના લેકે આંધળાઓની પેઠે ધર્મરૂપ હાથીના એકેક અંગને બાજીને તેઓ પિતપોતાના એકેક અંગને સંપૂર્ણ ધર્મરૂપ હાથી માની લઈને અન્યના કથનને અસત્ય માને છે. સાંખ્ય વ્યવહારનયના ધર્મઅંગને માનીને સંગ્રહનય માનનારા અદ્વૈતવાદીઓના ધર્મગને અસત્ય માનીને તેનું ખંડન કરે છે. મિમાંસક ધર્મરૂપ હસ્તીના શબ્દનયરૂપ ધમગને એકાન્ત સત્ય માનીને એકાન્ત રૂજુસૂત્રનયકથિત બૌદ્ધધર્મને તેડી પાડવા પ્રયત્ન કરે છે. બૌદ્ધ ધર્મરૂપ હસ્તિના રૂજુસૂત્રનયકથિત ધમગનો એકાતે સ્વીકાર કરીને એકાન્ત મૈગમન કથિત
For Private And Personal Use Only