________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬) પાકનું ભોજન છે. વીતરાગની વાણીનાં ગુપ્ત રહસ્યનું તારતમ્ય સારી રીતે દેખાય છે. સમ્યકત્વદષ્ટિ ખરેખર પોતાના આત્મસ્વામિ માટે જે કથે છે તે યોગ્ય છે. મનુષ્યએ સમ્યક દૃષ્ટિની ગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ વ્યવહાર સમ્યકત્ત્વના હેતુઓને અવલંબવાની જરૂર છે. બાહ્ય પદાર્થોનું જૈનશાસ્ત્રોના આધારે સ્વરૂપ જાણવું જોઈએ, આત્માઓ અને જડવસ્તુઓનો ભેદ જાણવો જોઈએ. આ પ્રમાણે બાહ્ય હેતુઓને આદરવાથી વ્યવહાર સમ્યકત્વ દ્વારા અન્તર સમ્યકત્વ દષ્ટિની પ્રાપ્તિ કરી શકાય છે. સમ્યકત્વ દૃષ્ટિને અન્તરાત્માવિના ગમતું નથી. સમ્યક દૃષ્ટિના ઘરમાં આવતાં બહિરાત્મા પણ અન્તરાત્મા બની જાય છે. સમ્યકત્ત્વ દૃષ્ટિના ઉપર્યુક્ત કથનથી શું બને છે તે અત્ર જણાવે છે. वीर कहे एती कहुं हो, आए आए तुम पास ।। कहे समता परिवारसुं हो, हमहै अनुभव दास ॥ स० ॥३॥ सरधा सुमता चेतनाहो, चेतन अनुभव आंहि. सगति फोरवे निजरूपकीहो, लीने आनन्दघन माहि.स०॥४॥
ભાવાર્થ-સમ્યકત્ત્વ દષ્ટિનું સંભાષણ સાંભળીને વીર વિવેકના મનમાં અત્યંત-સહજ પ્રમોદ થયો અને તેણે ચેતનને ખાનગીમાં ખુબ
ધ આપે અને કચ્યું કે, સમ્યકત્વ દૃષ્ટિના ઘરમાંથી નીકળીને મિથ્યાત્વ પરિણતિના મિથ્યાત્વ ઘરમાં પુનઃ પાછું જવું સુખકારક નથી. તમારી સમ્યકત્વ દૃષ્ટિ ખરી સ્ત્રી છે. તેમજ ચેતના અને સમતા આદિ ખરી સ્ત્રીઓ છે અને તેઓ ઉચ્ચ ગુણસ્થાનક મહેલમાં વાસ કરે છે અને મિથ્યાત્વ પરિણતિ છે તે તો નીચ છે, તેથી તે નીચા ઝુંપડામાં વાસ કરે છે અને તેના ઘેર રાગ અને દ્વેષ આદિ નીચ વૃત્તિને ધારણ કરનાર જી આવીને વસે છે. તેને સ્વભાવ નીચ છે તેથી, તેની પાસે જવાથી તમે નીચ બનો છે અને તમારે નીચ સ્વભાવ થવાથી તમે–
દ વડે અનીતિમય બની જાઓ છે અને તેથી તમારી ત્રણે ભુવનમાં લઘુતા દેખાય છે. તેથી હે ચેતન ! મિથ્યાત્વ દષ્ટિના ઘરમાં જવું તે કઈ રીતે હિતકર નથી. સમ્યકત્ત્વ દૃષ્ટિના ઘેર જતાં તમારી મનોવૃત્તિ ઉચ્ચ બને છે અને જગત્ છનું ભલું કરવાની બુદ્ધિ ઉપજે છે. સમ્યકત્ત્વ દૃષ્ટિની સમતા આદિ ઉચ્ચ સખીઓ, કે જે આપની સહજ શુદ્ધ સ્ત્રીઓ છે, તે આપનાં દર્શન કરે છે અને તેઓની પાસે જતાં તે તમને સહર્ષથી વધાવી લે છે અને એના રસમા
For Private And Personal Use Only