________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૩) શુભાધ્યવસાયરૂપ પુષ્પની કલિયો યોગમાર્ગમાં પાથરવામાં આવે છે. આત્મા ઉપ૨ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે ત્યારે, શુભાધ્યવસા
રૂપ પુષ્પકલિકાઓની સુગંધથી પ્રમોદ પામે છે અનુભવ રંગમાં રંગેલા વેષને સમતા પહેરે છે. અસંખ્યાત પ્રદેશરૂ૫ ઘરમાં સમતા રહે છે અને તેમાં પિતાના આત્મપ્રભુને ઉપર્યુક્ત સાજ સજીને બોલાવે છે. આત્મપ્રભુ જ્યારે સમતાના ઘરમાં આવે છે ત્યારે, સમતાની શોભામાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે. પિતાના આત્મપ્રભુને ઘરમાં લાવવા માટે સમતા આ પ્રમાણે અત્તરંગ સાધનને સજે છે અને આત્મપ્રભુની ભક્તિમાં લયલીન બને છે. આત્મપ્રભુની ઉત્તમ ભક્તિમાં લીન બનેલી, એવી રામતાના ઘેર આનન્દના ઘનભૂત એવા ચેતન પ્રભુ પધારે છે ત્યારે ઘરનો ઘાટ શેભે છે; એમ શ્રી આનન્દઘન કથે છે.
पद ७३.
(રા વેવારો.) भोले लोगा हुं रडं तुम भला हांसा ॥ सलुणे साजनविण कैसा घरवासा. ॥ भोले० ॥१॥ सेज सुहाली चांदणी रात, फुलडी वाडी उर सीतल वात ।। सघली सहेली करे सुखशाता, मेरा तन ताता मूआ विरहा
માતા | મોજે છે ૨ ભાવાર્થ:–અનુભવ પરિણતિ પિતાના ચેતન સ્વામિના સંબન્ધમાટે અનેક તર્યો કર્યા કરે છે અને ચેતન પ્રભુની પ્રાપ્તિ માટે ચેતનના ધ્યાનમાં નિમગ્ન થએલી છે. આત્મસ્વામિની ઘરમાં આવવાની વાટ જુએ છે, કિન્તુ તે દેખાતા નથી તેથી તે અન્તરમાં દીલગીર થઈને રહે છે, તેને દેખીને અલોકે હસે છે, તે સમયે અનુભવ પરિસુતિ કહે છે કે, હે ભેળા લેકે! હું મારા દુઃખથી રહું છું અને તમે ભલા હસો છે? મારા દુઃખની તમારા મનમાં કંઈ અસર થતી નથી, એમ વ્યાવહારિક પ્રત્યક્ષ સ્થિત વૃત્તાંતથી મને સમજાય છે. હે લેકે! તમે વિચારે તે ખરા કે સલુણું સ્વજનવિના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં કેવી રીતે વાસ કરી શકાય ?–સુંવાળી શય્યા, ચાંદની રાત, પુષ્પવાળી વાડી અને તેને શીતલ વાયુ, તેમજ સર્વ સખી સુખશાતાની વાર્તાઓ કરે છે, પણ આવા સાનુકુળ સુખકર સંગોમાં મારા ચેતનપ્રભુવિના મારું શરીર તપી જાય છે અને ચેતન પતિના વિરહથી મત્ત થએલી-જાણે મરી ગએલી-સ્ત્રીના જેવી દશાને અનુભવું છું.
ભ. ૪૦
For Private And Personal Use Only