________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૪ ) યોએ મુસહ્માનોથી હિંદુધર્મનું સંરક્ષણ કર્યું હતું. પતિવ્રતા ધર્મ ધારણ કરનારી એવી કેટલીક ક્ષત્રિયાણીઓને મુસલ્માન બાદશાહો પણ પકડી શક્યા નહોતા. વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાવાળી તેમજ, ધર્મમાં અત્યંત શ્રદ્ધાવાળી એવી પતિવ્રતા સ્ત્રીઓથી દેશ શોભી શકે છે.
જ્યારે સ્કૂલ જગતની ભૂમિકામાં પતિવ્રતા સ્ત્રીનું આવું ઉત્તમ સદાચાર અને પ્રેમમય વર્તન હોય છે, ત્યારે અન્તરમાં ત્રણ ભુવનને સ્વામી એ આત્મ સ્વામી જેનો છે, એવી સમતા સ્ત્રીનું ઉપર્યુક્ત પ્રેમમય અને સ્વામિની આજ્ઞાયુક્ત સવર્તન અને તેથી નિર્ભય જીવન હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સમતા સ્ત્રીને એકેક બેલ વારંવાર સ્મરણ કરવા ગ્ય છે. - હવે ઉપર્યુક્ત હૃદયદ્રાર કાઢયા પશ્ચાત , સમતા સ્ત્રી શું કર્થ છે, તે હવે નીચે જણાવવામાં આવે છે.
अपराधि चित्त ठान जगतजन, कोरिकभांत चको ॥ आनन्दघन प्रभु निहचे मानो, इहजन रावरोथको ॥ मोकू०॥३॥
ભાવાર્થ-અપરાધિ ચિત્તસ્થાનભૂત એવા જગતના લેકે કરડે રીતિથી મને જુએ, અથવા જગતના લેકે દોષરૂપાપરાધવાળું ચિત્ત જેનું છે એવી મને માનીને, કરોડો રીતિથી મને-દોષ દૃષ્ટિથી જુઓ તે પણ, તેમાં મારું કંઈ જવાનું નથી. ભલે આખી દુનિયા મારા ઉપર દોષ કાઢવાની બુદ્ધિથી જુએ તોપણ કંઈ મારે આ દુનિયા તરફ ઢળવાનો નથી. દુનિયાના જેવા ઉપર મારે જોવાનું નથી, તેમ આપે પણ દુનિયાના કહેવા પર લક્ષ્ય ન આપવું જોઈએ. દુનિયાના લેની એકસરખી દષ્ટિ નથી. જેવી વૃત્તિથી દેખવામાં આવે છે તેવી સામી વસ્તુ જણાય છે. ઈષ્ટ અને અનિષ્ટનો સાર ખેંચવાને માટે જગતના લોકેની ભિન્ન દૃષ્ટિ પડે છે. જગતના લેક મનને આગળ કરીને દરેક વસ્તુઓની પરીક્ષા કરવા જાય છે, પણ મનમાં પરીક્ષા કરવાની પૂર્ણ શક્તિ નથી. જગતના લેકે બાહ્યદષ્ટિના ગે મારું સ્વરૂપ બરાબર ન જાણે અને તે મારા દોષ જેવા જાય, તેથી હું કંઈ મારા નિશ્ચયથી ડગવાની નથી, અર્થાત દુનિયા મનમાં આવે તેવું બોલ્યા કરે, તેથી મારે શું? કહ્યું છે કે,
भले ते दुनिया माने, अमारी दृष्टिथी अवढं । गमे ते चित्तमां मानो, खराने शुं मनावाचें-॥ स्वभावे जे हशे ते छ, परीक्षा जो करो कोटी। नथी त्यां न्याय दुनियानो, खरं सर्वज्ञने भासे ॥
For Private And Personal Use Only