________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭ )
જાગવાથી મટી જવાને છે, અથવા મારા અને તમારા વચ્ચેનો ભેદ આપશ્રી જાગીને હવે મટાડે.
મમતા લાજવિનાની નગુરી અને ગમારજાત છે. મારી પાસે તે વિવિધ પ્રકારની આજ્ઞા મનાવે છે. પારકાનું નિર્મુલ કરવા તે ઉલટી છે અને તે કાળી છે. મર્યાદાને ઉલ્લંઘન કરનારી કુલટા મારૂં નિમૅલ કરવાને ચૂકે તેવી નથી. મને અને તમને મળવામાં તે હાનિ કરે છે અર્થાત વિન્ન કરે છે. અહો! આ જગતમાં પતિની મતિ વિપરીત થવાથી પતિવ્રતા સ્ત્રીને કેટલું બધું વેઠવું પડે છે? મતવાળા પતિ મમતા ગણુકાના પ્રસંગમાં રાચી રહ્યા છે, પણ જ્યારે જડ વસ્તુઓ છે તે જડવાસરૂપ છે અને સડણુપડયું વિધ્વંસ સ્વભાવવાળી છે, એમ તેનું મૂળસ્વરૂપ અનુભવથી માલુમ પડે છે ત્યારે, આનન્દના ઘનભૂત આમ
સ્વામીનું ચિત્ત પ્રફુલ્લ થાય છે અને તે મારા ઘેર આવે છે અને તે વખતે વસંતઋતુની શોભા બની રહે છે; એમ સમતા વદે છે.
શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, મમતાની સંગતિમાં ચેતન જાય છે, તેથી તે પરભાવ નિદ્રામાં ઘેરાય છે. આત્માની ખરી સ્ત્રી સમતા છે; તે આત્માને જાગ્રત કરવા અને મમતાને પ્રસંગ ત્યજવા અનેક પ્રકારની સત્ય વાર્તાને જણાવે છે. સમતાને અને આત્માને મળવામાં હાનિ પહોંચાડનાર મમતા છે. ખરેખર સમતાની આ હદયવાણી મનન કરવા લાયક છે. મમતાને અન્યદર્શનીઓ માયા કહે છે, તેના વશમાં આખું જગત બંધાઈ ગયું છે; સંસાર કારાગૃહમાં જીવને બાંધી રાખનાર મમતા છે.
આત્માની સાથે અશુદ્ધભાવે રહેનારી મમતા, જગતની સ્થૂલ ભૂમિકામાં જીવોને પોતાના તાબે કરી તેઓની પાસે અનેક પ્રકારના મુખે ભજવાવે છે. આત્માના મૂળધર્મમાં વિકાર કરીને તે આત્માને ભ્રાંતિના ખાડામાં ઉતારે છે. આત્માની સહજદશાનું ભાન ભૂલાવનાર મમતા છે. મોટા મોટા બાદશાહ, શહેનશાહ, ચક્રવર્તિ અને ઇન્દ્રો પણ મમતાના વશથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. વસ્તુતઃ વિચારવામાં આવે તે દુઃખનું મૂળ મમતા જણ્ય છે. મમતામાં અશુદ્ધ પ્રેમ ભર્યો હોય છે. સ્વાર્થ પ્રાણુ મમતા છે. સ્વમાની પેઠે ક્ષણિક એવા જડ પદા
માં મમતા કરીને અનેક મનુ મૃત્યુ પામ્યા, પણ અંશમાત્ર સુખને પામ્યા નહિ. મમતા રાક્ષસી આખી દુનિયામાં રાત્રી અને દિવસમાં અનેક પ્રકારના વેષથી પરિભ્રમણ કરે છે. યાવત્ મમતા હોય છે તાવત શુદ્ધ પ્રેમનો સ્વાદ ચાખી શકાતો નથી. અનેક પ્રકારની જડ વસ્તુ
For Private And Personal Use Only