________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯) પ્રાપ્તિ થાય છે; કિન્તુ ત્યાં ચાર અઘાતીયાં કર્મ વત છે. તેરમા ગુણસ્થાનકથી ચઉદમાં ગુણસ્થાનકમાં જવાય છે. કેવલજ્ઞાન થયા પશ્ચાત છેલ્લી વખતે શુકલ ધ્યાનના-ચરમ બે પાયાનું અનુક્રમે ધ્યાન કરવું પડે છે અને ચાર અઘાતિ કર્મનો નાશ કરવો પડે છે. અઘાતી કર્મને નાશ થતાં ચઉદયું ગુણસ્થાનક પૂર્ણ થાય છે અને ચઉદના ગુણસ્થાનકનું ઉલ્લંઘન કર્યા પશ્ચાત આત્મા સિદ્ધ સ્થાનમાં જાય છે. એક સમયમાં સિદ્ધ સ્થાનમાં પહોંચે છે. સિદ્ધસ્થાન, ચતુર્દશ રજવાત્મક લેકના અતે છે, પશ્ચાત્ ત્યાંથી અલકની શરૂઆત થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતીસૂત્ર, આચારાંગસૂત્ર વગેરે પિસ્તાલીશ આગમાં, લેકના અગ્રભાગપર સિદ્ધ સ્થાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનદર્શનમાં આ પ્રમાણે સિદ્ધસ્થાન કચ્યું છે. અદ્વૈતવાદમાં મુક્તિનું સ્થાન અન્ય કલ્પવામાં આવ્યું નથી. સાંખ્યદર્શનમાં મુક્તિનું સ્થાન અન્ય માન્યું નથી. બૌદ્ધ દર્શનમાં પણ મુક્તિનું સ્થાન અન્ય જણુવ્યું નથી. કર્મથી મુક્ત થએલ આત્મા સિદ્ધ સ્થાનમાં એક સમયમાં જાય છે અને ત્યાં સાદિ અનન્તમા ભાગે રહે છે. એરંડામાંથી બીજ ઊર્વ ઉછળે છે અને મલીનતા (માટી) દૂર થતાં તુંબિકા જેમ જલઉપર આવે છે તેમ, કર્મનો નાશ થતાં આમાં સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે; એમ સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ મુક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. સિદ્ધસ્થાનમાં અનન્ત સિં રહે છે. ભૂતકાળમાં અનન્તજીવો કર્મોનો ત્યાગ કરીને સિદ્ધ સ્થાનમાં ગયા અને મહાવિદેહ ક્ષેત્રમાંથી વર્તમાનકાળે જાય છે અને ભવિષ્યમાં અનન્ત જો કર્મને ક્ષય કરીને મુક્તિસ્થાનમાં જશે.
રસંસારની બાજી જે, રાગવરૂપ ભાવ કર્મ અને અષ્ટધા દ્રવ્ય કર્મની બાજીને છોડીને આત્મા તે સ્થાનમાં જાય છે. જ્યાં અનન્ત સિદ્ધોને મેળાપ થાય છે ત્યાં કેવલીઓ ચડી ગયા; અહે! કેવું આત્માઓનું સામર્થ? અહે કે અપૂર્વ ખેલ? જહાં સિધુકા મેલાના કરતાં, જહાં સિદ્રકા મેલા એમ પાઠો ઘટે છે; તે પાઠ મનમાં ધારીને ઉપર્યુક્ત અર્થ કર્યો છે. સિધુકામેલાના ભાવાર્થમાં સમજવાનું કે, અનન્ત ગુણના ધારક સિન્ધસ્વરૂપ સિદ્ધાત્માઓ જ્યાં છે ત્યાં, જીવ અષ્ટ કર્મને ક્ષય કરીને ગયો અને પરમાત્મપદ પામે, અર્થાત પિતાનું પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું. અહો કેવી જીવની અલૌકિક શક્તિ! શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આ પ્રમાણે આત્માની શક્તિના અપૂર્વ ખેલને, મનમાં ભાવી તેમાં આનન્દ પામીને અન્યોને પણ આવો ખેલ દેખાડે છે. ખરેખર આ ખેલજ
ભ. ર૭
For Private And Personal Use Only