________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ ) બ્રાન્તિ ટળી છે, એવા ઉદ્દગારો ઝળકી ઉઠે છે. એકસઠમા પદમાં આધ્યાત્મિક કલત્રદશાના ઉગારેમાં શુદ્ધ પ્રેમરસ છલકાઈ જાય છે એવું અનુભવમાં આવે છે. બાસઠમા પદમાં આતરિક કલત્રનો વાર્તાલાપ સમ્યગરૂપમાં છે. સઠમા પદમાં વ્રજનાથની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી જિને
શ્વર ભગવાન તેજ ખરેખર વ્રજનાથ છે. શ્રીમદ્દ આનAજનાથના ન્દઘનજી વજદેશમાં અને કાશી તરફ ગયા હોય એમ તુતિ.
લાગે છે. વ્રજનાથમાં ગયા હોય અને ત્યાં વ્રજનાથને દેખ્યા હોય તે વખતે ખરેખર વ્રજનાથ શ્રીજિનેશ્વર ભગવાન છે એમ ધારીને વ્રજનાથના નામે શ્રીજિનેશ્વરની સ્તુતિ કરી હોય એમ લાગે છે. કલિકાલસર્વજ્ઞ શ્રીજૈનશાસનોદ્ધારક શ્રી હેમચંદ્રાચાર્ય જ્યારે પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવના મન્દિરમાં ગયા હતા તે વખતે કુમારપાલના અનુરોધથી શ્રીજિનેશ્વરને ખર મહાદેવ માનીને મહાદેવના નામે જિનદેવની સ્તુતિ કરી હતી, તે પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીએ વ્રજનાથ એવું જિનેશ્વરનું નામ હદયમાં ધારીને સ્તુતિ કરી હોય એમ ભાસે છે. શ્રીમાનતુંગસૂરિજી ભક્તામર સ્તોત્રમાં જિનેશ્વરનેજ બુ-શંકર-બ્રહ્મા અને પુરૂષોત્તમના નામે સ્તવે છે. યાદ
बुद्धस्तमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शंकरोऽसिभुवनत्रयशंकरत्वात् ॥ धातासि धीर शिवमार्गविधेविधानात् ।
व्यक्तत्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ આ પ્રમાણે પૂર્વાચાર્યોની પેઠે શ્રીમદ્ આનન્દઘનજીએ વ્રજનાથના નામથી જિનેશ્વરની વા આત્માની સ્તુતિ કરી છે. ચેસઠમા પદમાં આમાને જાગૃતિને ઉપદેશ આપ્યો છે તે ખરેખર હૃદયમાં ઉતારવા લાયક છે. પાંસઠમા પદમાં આત્માની સમતા સ્ત્રીની વિરહદશાનું આબેહુબ ચિત્ર આપ્યું છે. આ પદમાં શ્રીમદે અપૂર્વ શુદ્ધ પ્રેમરસ રેડ્યો છે અને સમતાના પાત્ર દ્વારા વિરહને આબેહુબ ચિતાર દર્શાવ્યો છે. છાસઠમા પદમાં, આત્મસ્વરૂપદર્શનથી શ્રીમને બાહ્ય મમત્વ ટળી ગયું હોય એવો ભાવ સમાયલો લાગે છે. સડસઠમા પદમાં શ્રીમદે ઉદારભાવથી સદર્શનના દેવોનાં નામે સખ્ય અર્થ ગ્રહણ કરવાથી ભજવા યોગ્ય થાય છે એમ દર્શાવ્યું છે. અનેકાન્તદર્શનમાં સર્વ દેવનાં નામે પણ અનેકાન્ત શૈલીએ જિનરાજ વા આત્માના અભિમુખ થાય છે; તેથી
ભ. ઉ. ૨૯
For Private And Personal Use Only