________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) થાય છે અને તેથી મહાન ઉત્પાદ થાય છે. પુરૂષને ઉત્તમ ધર્મ એ છે કે, તેણે પરસ્ત્રીના ઘરમાં કામાસક્ત ભાવથી પ્રવેશ કર નહિ.
સમતા વિવેકને કહે છે કે, હે વિવેક ! તમે મારા દૃષ્ટાન્તપર ખ્યાલ કરે, જેના ઉગવા માત્રથી મનુષ્યો જાગ્રત થાય છે અને દેશમાં આનન્દ ફેલાઈ રહે છે, એવો સૂર્ય પણ પોતાની પૂર્વદિશારૂપ સ્ત્રીનો ત્યાગ કરીને પશ્ચિમદિશારૂપ પરસ્ત્રીમાં રાતડે એટલે આસક્ત થાય છે ત્યારે તેને અસ્ત થાય છે; આખી દુનિયામાં આ દૃષ્ટાન્ત પ્રત્યક્ષ છે. સૂર્ય સરખાની પણ પશ્ચિમદિશારૂપ પરસ્ત્રીના સંબન્ધથી અસ્તદશા થાય છે તો અન્યનું શું કહેવું ? સૂયેની આગળ અન્ય શા હિસાબમાં છે? માટે હે વિવેક ! હેને મૂકીને ચેતન સ્વામી અવિરતિના ઘેર જાય છે અને તેના પર આસક્ત થયા છે તેનું ફળ શું આવશે ?
અવિરતિ સ્ત્રીની સંગતિથી માંસાદિ અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાની ટેવ પડે છે, તેમજ દારૂ આદિ અપેય પદાર્થોનું પાન થાયછે. હિંસા, અસત્ય, સ્તેય, વ્યભિચાર, કેધ, માન, માયા, લેભ, લાંચ અને વિશ્વાસઘાત વગેરેથી નહિ વિરામ પામવું તેને અવિરતિ થે છે. અવિરતિ પરિણતિના સંગમાં રહેવાથી ઉપર્યુક્ત દોષોને મનમાં ઉદ્દભવ થાય છે અને તેથી કર્મરૂપ મલીનતાવડે આત્મા અશુદ્ધ અને છે. અવિરતિની સંગતિથી-જડ વસ્તુઓમાં સુખની ભ્રાન્તિ થવાથીજડમાં મમતાદિથી બન્જન થાય છે. અવિરતિ પરિણામથી જગતના સર્વ જડપદાર્થોને અનતકાળ સુધી ભગવ્યા અને અનન્તકાળ પર્યત ભોગવવામાં આવશે તે પણ, કદી સત્યસુખની પ્રાપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. અવિરતિના ઘરમાં પ્રવેશનાર ત્વરિત દુ:ખને પ્રાપ્ત કરે છે. પતિની વહાલી સ્ત્રી અર્થાત પતિવ્રતા સ્ત્રી, પોતાના પતિ અને પિતાનામાં ભેદ દેખાતી નથી, તેથી તે સદાકાલ પતિને કલ્યાણકર માર્ગ દેખાડે છે. વિવેકને સમતા કહે છે કે, મહારે પણું ગમે તેવી પતિની દુઃખદશામાં પણ પતિનેજ સર્વસ્વ માની, તેમના પ્રતિ શુદ્ધભાવે વર્તવાની ફરજ છે અને તે હું બજાવું છું.
સમતા પોતાના ચેતન સ્વામિના મૂળ સ્વભાવનું કથન કરે છે અને તદ્વારા સ્વામિ માહાસ્યનું ગાન કરી પિતાના આત્મપતિને જાગૃતિની સૂચના કરતી છતી તે જણાવે છે કે,
पूनमससीसम चेतन जाणिये, चन्द्रातप सम भाण । वादलभर जिम दलथिति आणीये, प्रकृति अनावृत जाण.॥
વડુિ ૨ ||
For Private And Personal Use Only