________________
મુક્તદશા વર્ણવી છે. ત્યાં મેાક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિઘાત અને ગુણુબીજાધાન કરવાની પ્રક્રિયા બતાવી છે. અહી પાપપ્રતિઘાતમાં ‘પાપ’ એટલે અશુભ અનુંધનો આશ્રવ= આગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મોનો આશ્રવ. અનુબંધ એટલે તેવા તેવા પાપની પરપરા ચલાવે તેવી બીજ શક્તિ. એવી અશુભ પર પરા ચાલે એવાં કર્મનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેનો પ્રતિઘાત એટલે વિચ્છેદ. એ એવા કે જેથી એ અનુબંધ નષ્ટ થયેથી એ પાપનો આત્મા પરથી અધિકાર જ ઊઠી જાય. અર્થાત એ પાપેામાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસદ્ અભિનિવેશ, કષાયાવેશ, વગેરે પાપા તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણુબીજનો અધિકાર સ્થાપિત થાય.
‘ગુણીજ' એટલે ગુણાનું ખીજ. ‘ગુણા' એટલે ભાવથી પ્રાણાતિપાત—વિરમણુ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સ ́પૂર્ણતઃ ગુણ છે. એનું ‘બીજ' એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સ’ફ્લેશ અટકી જઇને ગુણની પર ́પરા ચાલે. આનું નામ ગુણુખીજાધાન. તેનો પરમ આધાર પહેલા સૂત્રમાં બતાવેલ ચતુઃશરણ–સ્વીકાર વગેરે ઉપાચે। એવા સચાટ છે કે એનાથી આ પાપપ્રતિઘાત અને ગુણખીજ–સ્થાપન થવા દ્વારા પછીના સૂત્રેાના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે. (ર) સાધુધની પરિભાવનાઃ-સાધુ-ધર્મ એટલે