________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
४७७ એમ કલ્પવું (પણ) અયુક્ત છે; કેમકે એમાં તે તમે) સ્વતંત્ર અનુશાસનથી (ક્ષણપર્યાયની) નિરાધારતા યા અનન્વય ઠેકી બેસાડ્યો. તે (આત્મા)ને જ (સર્વકર્મનાશ પછી) સદા અબદ્ધભાવ-અભેવભાવ માને તે તે યુક્ત છે. આ સૂક્ષ્મ પદાર્થ સ્થાન મહા પ્રજ્ઞાથી વિચારણીય છે.
વિવેચન-દ્રવ્ય વિના માત્ર પર્યાય ન હોય:
પ્રવ-સંસારની છેલ્લી ક્ષણને એ સ્વભાવ જ માનીએ કે “એ તદ્દન નિવૃત્ત થઈ જાય છે, પછી નવી ક્ષણ ઉત્પન્ન જ નથી થતી, અને એ જ મોક્ષ, તે શે વધે? સ્વભાવમાં પ્રશ્ન ન રહે કે “આ આમ કેમ, ને આમ કેમ નહિ? અગ્નિને સ્વભાવ બાળવાને છે, ત્યાં કેણ પૂછે છે “કેમ બાળવાને ?”
ઉ૦-આ સ્વભાવ માનવે યુકિતવિરુદ્ધ છે, માત્ર એક જાતના રાજાના કાયદા જેવું અનુશાસન, બળાત્કાર, તકરહિત હઠાગ્રહ છે. કેમકે એમાં તે નિરાધારતા અથવા અનન્વયને બળાત્કારે “સ્વભાવ'ના નામ હેઠળ ઠેકી બેસાડવાનું થાય છે. તે આ રીતે -
નિરાધારતા-અનવય એટલે ?:
ચરમ ક્ષણને અત્યંત નિવૃત્ત થવાને સ્વભાવ કહે છે, ત્યાં “સ્વભાવ” એટલે “સ્વને ભાવ નહિ, કેમકે “સ્વ” જેવી કેઈ જુદી વસ્તુ તમારા મતે નથી કે જે ઊભી રહીને એને ભાવ યાને એમાં બીજી ક્ષણે કશું થાય; કિન્તુ સ્વભાવ=ત્વ એ જે ભાવ યાને આત્મીય સત્તા. ચરમ ક્ષણને સ્વભાવ નિવૃત્તિને; અર્થાત “ચરમ ક્ષણ પછીથી નિવૃત્તિસ્વભાવ છે, એમ કહેવા જતાં, (૧) પછીથી “સ્વભાવ” યાને આત્મીય સત્તા ઊભી રહી. તેથી