________________
४८४
[પંચસૂત્રતે એનામાં વિજ્ઞાનપણું શું? તેમજ સર્વથા નાશ એટલે તે મોક્ષમાં કશું રહ્યું નહિ! પરંતુ સતને સર્વથા નાશ થઈ જ કેમ શકે? તેમજ એવા પિતાના જ સર્વનાશરૂપ મેક્ષને ઈ છે. પણ કેણ?
પાશ્ચાત્યદર્શનો સ્વતંત્ર જીવસ્વરૂપ, અનાદિ કાર્યકારણ ભાવથી એની અનાદિ બદ્ધ અવસ્થા, વગેરે કશું માનતા નથી. પછી મેક્ષ એટલે Salvation કહે ખરા, પરંતુ એનું વાસ્તવિક કાયમી શાશ્વત સ્વરૂપ શું. એ કહી શકતા નથી, તેમ એના વાસ્તવ ઉપાય સ્વીકારી શકતા નથી, એ તે કહે છે પહેલાં આદમઈવ હતા એમાંથી જીવાત્મા બન્યા. હવે ઈશ્વરના દરબારમાં જ્યારે સર્વ જીવે ભેગા થશે ત્યારે ન્યાય ચુકવાશે. પછી નવેસરથી સ્વર્ગ દેજખ મૃત્યુ લેક શરૂ થશે. આ મત તર્કવિરુદ્ધ છે, અને વસ્તુના ચક્કસ સ્વરૂપને બતાવી શક્તા નથી, કે શાશ્વત મેક્ષ શું એ દર્શાવી શકતું નથી.
અવતારવાદવાળા તે મોક્ષમાંથી પણ પાછા ધર્મગ્લાનિ હટાવવા સંસારમાં જન્મ લેવાનું માને છે. કિંતુ એ કથન “માતા મે વંધ્યા જેવું છે, કેમકે જે મુક્ત છે, અર્થાત ભવજન્મ પ્રોજક કમ આદિથી સર્વથા રહિત છે, તે પછી જન્મ શે? અને જે જન્મ છે, તે એ સર્વથામુક્ત શાના? અસ્તુ.)
અનંત સુખ-સિદ્ધ અવસ્થાનું સુખ નિયમો અપર્યવસિત છે, અંત ન જ પામનારું છે. માટે જ એ સર્વશ્રેષ્ઠ છે, વિનશ્વર સુખ શ્રેષ્ઠ નથી. આ તે અવિનાશી છે. ત્યાં સર્વથા ઉત્સુક્તા નથી. તેમજ એ સુખ અનંત છે. એક સુખ મળ્યું. છતાં બીજાની જે ઉત્સુકતા છે, કે જાગી, તે સુખ ખંડિત થવાનું.