Book Title: Ucch Prakashna Panthe
Author(s): Bhanuvijay Gani
Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay

View full book text
Previous | Next

Page 553
________________ [ પ’ચસૂત્ર-પ પરીસહ-ઉપસર્ગનું સહન, વગેરે કરવું, એ જે વ્યવહાર–ચારિત્ર છે, તે જ વાસ્તવિક કષાયક્ષચેાપશમ અને વિરતિભાવરૂપી નિશ્ચયચારિત્રમાં આત્માને ખરેખર રમતા રાખે છે. ભાણામાં પીરસેલી રસે.ઇને જોયા કરવાથી આંતરિક તૃપ્તિ ન થાય. આંતરિક તૃપ્તિ તા એને હાથમાં લઈ માંમાં મૂકી ચાવી પેટમાં ઉતારવા વગેરૈના ખાદ્ય વ્યવહારથી જ થાય. ઉપદેશક કે કવિના હૃદયમાં ગમે તેવા ઉપદેશ કે કાવ્ય રમતા હતાં, એ ઉચ્ચારણ કે લેખનરૂપ વ્યવહારમાં ન ઊતરે ત્યાં સુધી ખીજા એને સ્વાદ કાંથી અનુભવે ? વસ્તુ કે વ્યક્તિ પર પ્રેમ હોવા છતાં જો એના પર શૈાભા કે એની સરભરા જોતાં પ્રેમ વધી જાય છે, તા એ વ્યવહારને જ મહિમા સૂચવે છે. ઉન્માર્ગે ચઢી ગયેલાને સસમાગમ, પરમાત્મદર્શન, વૈરાગ્યશ્રવણ, ધાર્મિક અનુષ્ઠાન, કર્તવ્ય-પાલન વગેરે વ્યવહાર મળે છે, તે તે નિશ્ચય-સન્મા પામે છે; ને એ વ્યવહારમાં ન આવનારા અને તેથીજ ઇંદ્રિયગુલામી, ભેાગલ’પટતા, ધનલેાભ, કષાયી ચેષ્ટા, વગેરેમાં લીન રહેનારા, એ આત્મામાં શુભ ભાવ નથી જગાડી શકતા, એ પ્રત્યક્ષ દેખાય છે. એ નિશ્ચયને શું પામે ? નિશ્ચયનયના એકાંત માની માહ્ય બીજા વ્યવહારને ઉડાવનારાને પણ સામામાં નિશ્ચયની શ્રદ્ધા-સમજ કરાવવા માટે ઉપદેશ, લેખ વગેરે બાહ્ય વ્યવહારનું જ શરણું લેવું પડે છે. એ સૂચવે છે કે વ્યવહાર એ નિશ્ચયની સિદ્ધિ માટે પ્રવૃત્તિનું અનિવાર્ય આવશ્યક અંગ છે નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી. નિશ્ચયની વૃદ્ધિ વ્યવહારથી. નિશ્ચયનું શેાધન વ્યવહારથી, નિશ્ચયની પૂર્ણતા વ્યવહારથી. તેરમા ગુણસ્થાનકને અ ંતે ચેગેાના નિરોધરૂપી વ્યવહાર આદરવાથી જ સ્થિર આત્મપ્રદેશરૂપ નિશ્ચયની પૂર્ણતા થાય છે. ૪૯

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584