________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૫૦૫ સામાને વિરાધનામાંથી બચાવી લેનારી બને છે, નહિ કે દયાભાસ બચાવી શકે ! અયોગ્યને જિનાજ્ઞા આપવાની દયા એ તે બિમારને અગ્ય કુપથ્ય આપવાની કરાતી ઉપલક દેખાવની દયાની જેમ દયાભાસ છે, ખોટી દયા છે. કેમકે અપાત્ર જીવને ભવને આનંદ છે, ઇંદ્રિયવિષયે અને કષામાં નિર્ભીક રમણુતા છે, એ પાપ તે છે જ. હવે એને વિષયકષાય ભયંકર અને ત્યાજ્ય કહેનારાં જિનવચન આપે એટલે એ વચનની હાંસી કરે છે, વચન પર સુગ અને દ્વેષ કરે છે. આ વધુ પાપ એને દુગતિઓમાં રીબાવે છે. આમાં એની દયા ક્યાં થઈ? માટે એવાને જિનવચન આપનારો બેટી દયામાં તણાય છે. એ દયા એને જિનવચનની વિરાધનાથી બચાવતી નથી. ત્યારે અપાત્રને જિનાજ્ઞા ન આપવારૂપી શુદ્ધ દયા કરનારને એ દયા જિનાજ્ઞાની વિરાધનાથી બચાવતી હોવાથી, અને એમ કરવામાં જ ત્રિલેકનાથ શ્રી તીર્થકરદેવ ઉપરનું બહુમાન અખંડ રહેતું હોવાથી, એ માક્ષસાધક બને છે. અર્થાત ભવાભિનંદીને જિનવચન ન દેનારો એને ય વધુ અનર્થથી બચાવે છે, અને સ્વયં વિરાધનાથી બચી મેક્ષ સાધી શકે છે. આવી સાચી દયાનું સ્વરૂપ કહેનારા શ્રી પરમાત્મા ઉપર ખરેખર બહુમાન ધરનારો એ જ ગણાય છે.
તાત્પર્ય એ છે કે જેને જિનેક્ત આગમ નથી પરિણમ્યા, આગમન પરિણતિરૂપ ધ નથી થયો, એ એવી સાચી દયા નથી સાચવી શકતા; કિંતુ જેમને આગમ પરિણમ્યા છે, એ જ એવી દયા જાળવી શકે છે. પરિણમવું એટલે કે પચવું તેને કહેવાય કે જેનાથી રસકસ વધે, પણ અજીર્ણના વિકારે ન થાય. આગમને પચાવી પરિણમાવી શકનારે તે, કે જેને