Book Title: Ucch Prakashna Panthe
Author(s): Bhanuvijay Gani
Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay

View full book text
Previous | Next

Page 555
________________ ૪૯૮ [પંચસૂત્ર-પ પરીક્ષામાં શુદ્ધ નીવડ્યું કહેવાય. શ્રી તીર્થંકરદેવનાં વચને આ ત્રિવિધ પરીક્ષામાં પસાર છે; કેમકે, (૧) એમાં તપ સ્વાધ્યાય-ધ્યાનાદિનાં વિધાન છે, અને સૂક્ષમ જીવની પણ હિંસા વગેરેના નિષેધ ફરમાવેલા છે; (૨) એ વિધિનિષેધને એટલે કે કે તપ-ધ્યાનાદિપાલન અને હિંસાદિ-ત્યાગને પમાડે અને સંરક્ષે એવી સમિતિ ગુપ્તિ તથા નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયાઓ ઉપદેશી છે; અને (૩) એ વિધિનિષેધ-આચારકિયા ઘટી શકે એવાં તત્વ યાને નિત્યાનિત્ય આત્માદિ પદાર્થો તથા સ્યાદવાદાદિ સિદ્ધાન્ત કહેલાં છે. નિષિદ્ધ હિંસાદિને ત્યજીને વિહિત તપચારિત્રાદિ સાધવાનું એકાંતે નિત્ય અપરાવર્ય આત્મામાં ક્યાંથી ઘટી શકે ? તેમજ એકાંતે ક્ષણિક અનિત્યમાં પણ ન ઘટે, કેમકે હિંસાદિ ત્યજનાર અને તપ-ચારિત્ર સાધનાર તે ક્ષણમાં સર્વથા નાશ પામે, ત્યારે એનું ફળ પામનાર કેઈ બીજો ન જ જ ! એટલે સાધના અને ફળ પામનારો એકજ આત્મા ન બને ત્યારે, નિત્યનિત્ય સ્વરૂપવાળો જ આત્મા એ બંનેમાં પરિણમી શકે, એમાં જ એ ઘટી શકે. આવાં ત્રિટિપરિશુદ્ધ સત્ય જિનવચન કેણુ પાળી શકે? તે કે એ સઘળાય જે ગમ્ય હેય, અર્થાત લભ્ય અને યથાર્થ જણાવા ગ્ય હોય તે તે અપુર્બન્ધકાદિ આત્માને જ ગમ્ય છે. “અપુનબંધક એટલે સિત્તેર કેડાછેડી વગેરે ઉત્કૃષ્ટી કર્મની સ્થિતિને હવે ફરી કદીય નહિ બાંધવા (ઉપાવા) રૂપે ખપાવનાર આત્મા. એજ જિનવચનના બંધને છે. આદિ શબ્દથી –

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584