________________
४८७
પ્રવજ્યા-ફલસૂત્રમ }
(૧૧) ભવ્યને કદી ઉછેદ નહિ સૂત્ર –લઘુગો મવાળ વતમાળ, guતાતા સમચા इत्थ नायं । भव्वत्तं जोगयामित्तभेव केसिंचि पडिमाजुग्गदारूनिदंसणेणं । ववहारमयमेयं ।
અર્થ –ભની અનંતતા હોવાથી (સંસારમાંથી એમને કદી) ઉછેદ નથી. આ (અનંતુ) “અનંતાનંત” નામનું છે. આમાં સમય દષ્ટાન્ત છે. ભવ્યત્વ પ્રતિમાચોગ્ય કાષ્ઠના દુષ્ટાન્તથી કેટલાકને યોગ્યતા માત્ર સ્વરૂપ જ હોય છે. આ જીવને ભવ્યત્વ સ્વભાવ) વ્યવહાર-મત છે.
વિવેચન - અનંતાનંત ભવ્ય કદી ખૂટે નહિ
પ્રસિદ્ધ થયેલા પાછા તે આવતા નથી, અને સિદ્ધ થવાનું અનાદિકાળથી ચાલુ છે, તથા છ છ માસે ઓછામાં ઓછો એક સિદ્ધ તે થયા કરે છે, તો પછી ભાવીકાળે ભવ્ય સંસારમાંથી ખૂટી કેમ ન જાય?
ઉ૦-ભવ્યોની સંખ્યા અનંત છે, તેથી ખૂટે એમ નથી. - પ્રવવનસ્પતિમાં કાયસ્થિતિ અનંતકાળની છતાં એને ય ક્ષય તે થાય છે, તે સિદ્ધ થતાં થતાં, અનંતી ભવ્યરાશિને પણ અંત કેમ ન આવે ?
ઉ૦-ભની અનંતની સંખ્યા “અનંતાનંત’સ્વરૂપ છે, પણ “યુક્તઅનંત’ આદિસ્વરૂપ નથી. સંખ્યાશાસ્ત્રમાં નવ અસંખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં, નવ અનંતા આવે. એમાં પહેલા ત્રણ તે “પરિત્ત' અનંતા, પછી આગળ વધતાં બીજા ત્રણ તે “યુક્ત, અને તેથી આગળ ત્રણ “અનંત” અનંતા આવે. ભવ્યોની સંખ્યા આમાં મધ્યમ “અનંત” એટલે કે ૮મું