________________
૪૯૦
[પંચસૂત્ર-પ નદીની રેતી ઘડાને, ને વંધ્યા સ્ત્રી પુત્રને અયોગ્ય જ છે. આ વસ્તુ મોટા પંડિત કે અજ્ઞાન સ્ત્રીઓ પણ સમજે છે. બાકી બીજાઓમાં મેક્ષે જવાની યેગ્યતારૂપ ભવ્યત્વ તેના કાર્ય ઉપરથી ક૯પી શકાય છે. ગ્યતા જ ન હોય તે સામગ્રી ગમે તેટલી મળે, છતાંય મેક્ષ શું કે સમ્યકૂવાદિના પરિણામ શું, એ ન જ થાય. વળી આ યોગ્યતા પણ જીવમાં અનાદિકાળથી હોય છે.
(અહિં એ વિચારણીય બને છે કે આવું ભવ્યત્વ કે જે લાખ કરોડે ગમે ઉપાય જવા છતાં ઘડ્યું ઘડાતું નથી, કે મેળવ્યું મેળવાતું નથી, પણ અનાદિસિદ્ધ હોય છે, તે જે આપણને મળી ગયું છે, તે આપણું સદભાગ્યની કઈ અવધિ છે? બિચારે અભવ્ય અનંતવાર નરકની કારમી પીડા ભોગવી આવે કે અનંતવાર પ્રભુના સમવસરણ જોઈ આવે તે પણ જે ભવ્યત્વ ન જ પામી શકે, અને તેથી જ કદીય ઠેઠ નરક-નિગોદાદિ સુધીના કારણે ત્રાસમય સંસારમાંથી છૂટી જ ન શકે, એવું મહામૂલું ભવ્યત્વ આપણને સહજ મળ્યું છે, કાંઈજ કિંમત ખરચ્યા વિના મળ્યું છે, કઈ પરિશ્રમ કર્યા વિના મળ્યું છે, તે પછી એનું મહત્ત્વ આપણે કેટલું સમજીએ છીએ? એ ભવ્યત્ય સફલ કરવા એટલે કાર્યસાધક બનાવવા કેટલી ગરજ, કેટલી કાળજી, અને કેટલી મહેનત લઈએ છીએ? જે ચિંતામણિને ફલે—ખ (ફળસાધકો કરવાથી મહાસુખ મળતા હોય, તેને ચીંથરે બાંધી રાખી, કાચના ટૂકડા પાછળ કારમી મજુરી કરી રેટેલ -મરચું ઉપાર્જના કે મૂખ અને ભાગ્યહીન ગણાય ? ચિંતામણિ ચાલી ગયા પછી એ શું કરી શકવાને ? એવી રીતે ભવ્યત્વને પકવવાના આ સુંદર કાળમાં એ કર્યા વિના જે જીવન