________________
છે. પરંતુ ક્ષુદ્રતાવશ પર્વતે એ કબુલ્યું નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નકકી કર્યું. માતાએ પણ પુત્રહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતને પક્ષ કરવા ભેળવ્યું. વસુએ જૂઠી સાક્ષી આપતા ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, મરીને નરકમાં ગ! પર્વતને લેકમાં ફિટકાર થવાથી ત્યાંથી ભાગ્યે, અને બહાર ઘોર હિંસાને માર્ગ પ્રવર્તાવી અંતે અર્ધગતિમાં પટકા ! સુદ્રના વિચાર
એક ક્ષુદ્રતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને એલંઘાવે છે! અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મેક્ષની દષ્ટિ જ ક્યાંથી જાગે? માત્ર ભવને જ આનંદ હોય છે માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, “ ક્ષુદ્રતાથી તે અનંતા ભવે ભમ્યો ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું?” કર્મને શરમ નથી. કર્મ તે ક્ષુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે ક્ષુદ્રતાવશ ભવવર્ધક વિષય ભેગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય. ” જે માનપાનાદિ તુચ્છ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લેભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપ થાય છે, તે એ તુચ્છના બહુમાનથી હૃદય શુદ્ર જ રહ્યા કરશે ! દા. ત. ઊંઘ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કેઈએ બારણું ઠેકી બૂમ મારી, તે જાગી જતાં ક્ષુદ્ર મનને થશે કે “આ કેણ હરામી આ ?” પછી ભલે કદાચ પેલાને અંદર લેતા કેઈ સારી વાત કરવા ઉપર દિલ લલચાઈ જશે ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન