________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૨૮૧
ત્યારે એકવાર મૃત્યુ નિશ્ચિત જ છે. એ કાંઈ થોડું જ અટકે એવું છે? મૃત્યુ તે ઉદ્દામ છે. તેની ગતિને કઈ અલના પહોંચાડનાર નથી. ચૌદ રાજલોકના કોઈપણ પ્રદેશમાં તે જઈ શકે છે. એમાં વળી આજનું આપણું આયુષ્ય યાને જીવનદેરી ટૂંકી હોવાથી મૃત્યુ નજીક આવતું જાય છે. તેથી, હાથમાં કાળ થડે છે, અને તેમાં ધર્મ સાધ્યા વિના રહી જઈશું, તે મૃત્યુ બાદ માનવ-જન્મ અને સાધનાના સંગ ફરીથી મળવા મુશ્કેલ હોવાથી આ અણમોલ તક ગુમાવાશે. સંસારસાગરમાં માનવભવ પાછો મળ, એ, સમુદ્રમાં પડી ગયેલા રત્નને પાછું મેળવવાની જેમ, અતિ મુશ્કેલ છે
સૂવા- મૂના મળે મેવા દુરદુ, મોહંચીરા, अकुसलाणुबंधिणो, अजुग्गा सुद्धधम्मस्स । जुग्गं च एवं पोअभूअं भवसमुद्दे, जुत्तं सकज्जे निजिउ संवरउइअच्छिदं नाणकण्णधारं तवपवणजवणं।
અર્થ-બીજા ભવે ઘણું ! (તે પણ) દુઃખભર્યા, મોહના અંધકારવાળા, અશુભ પરંપરા-જનક, અને શુદ્ધ ધર્મને અગ્ય છે. યોગ્ય તે આ મનુષ્ય ભવ છે કે જે ભવસાગરમાં જહાજભૂત છે. આવા મનુષ્યભવરૂપી જહાજને સંવરથી (આAવરૂપી) છિદ્રો બંધ કરી દઈને, જ્ઞાનને સુકાની કરીને અને તારૂપી પવનથી વેગબંધ રાખીને પિતાના (તરવાના) કાર્યમાં જ
યુક્ત છે.
વિવેચન-મનુષ્યભવ દુલભ કેમ?
ચારિત્રને અભિલાષી જીવ માતાપિતાને એમ સમજાવે કે, “સમુદ્રમાં પડી ગયેલ રત્નને પાછું મેળવવું ઘણું દુષ્કર,