________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૧
સારી રીતે ખજાવી, (૪) અતિવિશુદ્ધ નિમિત્તો જોઇ, (૫) વાસક્ષેપથી અધિવાસિત છની, (૬) વિશુદ્ધિ પામતા પામતા ભારે આનંદપૂર્વક લૌકિક ધર્મમાંથી લોકેાત્તર ધર્મમાં જવા વડે સારી રીતે પ્રવ્રજ્યા સ્વીકારે.
6
વિવેચનઃ-આ પ્રમાણે ભાવથી કાઈનેય જરાપણું સતાપ પમાડ્યા વિના, સુગુરુ પાસે આવી સમ્યક્ રીતે ચારિત્ર અંગીકાર કરે. (૧) · ગુરુ વિના જ્ઞાન નહિ, ગુરુ દીવા ગુરુ દેવતા. ’ અલખત્ ગુરુના લેખાશમાં કુગુરુના પલ્લે ન પડી જવાય એ ખૂખ જોવાનું. તે પણ સુગુરુ વિના તે એક ઘડીય ન ચાલે. સુગુરુ વિના દીક્ષા ય નહિ, અને સુગુરુ વિના શિક્ષા ય નહિ. આનું કારણ એ છે કે દીક્ષા અને તે પછી ગ્રહણુશિક્ષા અર્થાત્ શાસ્રગ્રહણ-શાસ્રોધ, અને આસેવનશિક્ષા અર્થાત્ સાધ્વાચારની તાલિમ એ એમાં નિષ્ણાત થયેલા ગુરુ જ આપી શકે. જાતે ને જાતે, ગુરુના આલખન વિના, એ લેવાના દુરાગ્રહ રાખે તા ભૂલો પડી જાય. અનાદિ-અભ્યસ્ત માહ કચારે ય પણ છળી ન જાય, એ માટે સ્વયં સયમ-વિરાગના પ્રખર અનુભવી અને મેહની ચિકિત્સાના શાસ્રરૂપી શ્રી જિનાગમના પૂર્ણ ગીતા સુગુરુની નિશ્રા જોઈએ જ. એમની પાસે ચારિત્ર સ્વીકારતાં પહેલાં, (૨) પેાતાની શક્તિ અનુસારે શ્રી વીતરાગ તીથ કરદેવની અષ્ટાહ્નિકાદિ પૂજા-મહાપૂજા કરે, અને (૩) મુનિરાજોને આહારવસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિથી સન્માને. (૪) તેમજ કૃપણુ દુ:ખી જીવાને પેાતાની સંપત્તિ અનુસારે ધન આપી સંતેષે. ત્યારબાદ (પ) લઘુવડીનીતિનું આવશ્યક, તથા મુંડન, મંગળસ્નાન, ઉચિતવેશ વગેરે અવશ્યકરણીયને સારી રીતે સાચવીને, (૬) પછી સારાં