________________
સત્ર-૪
ને પ્રચા–રિવાહનમ ! સૂત્રસ જીવમમિvશ્વરૂણ સમાળ, સુવિદિમાવો રિબાજે जुज्जइ । विसुद्धचरणे महासत्ते न विवज्जयमेइ ।
અર્થ: તે આ રીતે પ્રવજ્યા લીધા પછી સમ્યગૂ ગ્રહણ વિધિના પ્રભાવથી ક્રિયારૂપી ફળનો સંબંધ પામે છે. વિશુદ્ધ ચારિત્રવાળો અને મહાસત્ત્વશીલ (આત્મા ચારિત્રમાં) વિપર્યય (બ્રમ)ને વશ થતો નથી.
વિવેચન-સાધુ-ધર્મની આત્મામાં પરિભાવના કર્યા પછી શું કરવું તે પૂર્વના ૩ જા સૂત્રમાં બતાવ્યું, અર્થાત્ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે કહ્યું. હવે આ દીક્ષિત થયેલાએ ચારિત્રજીવનમાં કઈ કઈ સાધના કરવી અતિ આવશ્યક છે, તે ચોથા સૂત્રમાં બતાવે છે.
તે મુમુક્ષુ પૂર્વે કહેલી દીક્ષા-ગ્રહણની સમ્યગૂ વિધિથી ચારિત્રી બનેલ સુવિધિના અર્થાત દીક્ષાની પ્રશસ્ત ગ્રહણ વિધિના પ્રભાવે સમ્યકક્રિયારૂપી ફળને પામે છે. ગ્રંથના પ્રારંભે કહ્યા મુજબ આ પદાર્થો આ જ ક્રમે પ્રાપ્ત થાય છે, એટલે કે