________________
૩૪૨
[ પંચસૂત્ર-૪ અગ્રહ-અજ્ઞાન-પરીસહ સહન કરી બારે વરસ ગેખવા સાથે આંબેલ કર્યો ગયા, તે જ્ઞાનાવરણાદિ કર્મોના ભારે વિધ્વંસ કરનારા બન્યા.
(ii) વળી “ગહ ગ્રહપરિગ્રહ, પૂર્વગ્રહ કે યુગ્રહ, તેનું પણ દુઃખ ભારે! સઘળા કલેશનું મૂળ પરિગ્રહ છે. એમ પૂર્વગ્રહ, બુગ્રહ પણ કલેશરૂપ છે. એ પાપ તે સાધુમાંથી દૂર જ હોવું જોઈએ.
પરિગ્રહનાં દુઃખ “આયે દુઃખ વ્યયે દુઃખમ વગેરેથી પ્રસિદ્ધ છે. અર્થના ઉપાર્જન–વર્ધન-સંરક્ષણ-વ્યય ઈત્યાદિમાં દુખનો પાર નથી. ચિત્ત સંકલેશમાં રહ્યા કરે છે. રત્નાકરસૂરિએ મતીને સંગ્રહ રાખેલ, તેની ખબર પડવાથી શ્રાવકે વ્યાખ્યાન સભામાં સૂરિને પ્રશ્ન કર્યો કે “મુનિ પરિગ્રહ રાખી શકે ?' સૂરિજીએ અનેક રીતે વિવેચન કરી પ્રશ્ન ઉડાવે. એમ રોજ ચાલ્યું, છેવટે પોતે સમજી ગયા કે “મારે મોતીને પરિગ્રહ મને આ રીતે સંકલેશમાં મૂકી રહ્યો છે, તેથી મેતીને સૂરે કરી આકાશમાં ઊડાડી દીધે, અને પછી જે વ્યાખ્યાન આપ્યું તેને શ્રાવક પર અદ્દભુત પ્રભાવ પડ્યો. શ્રાવકે પૂછતાં એમણે ખુલાસો કર્યો. સૂરિજીએ એ પછી સુંદર “રત્નાકરપચ્ચીશી' રચી.
પૂર્વગ્રહનું દુઃખ પણ ભારે. એમાં અમુક જાતના પૂર્વબદ્ધ અનુચિત ખ્યાલને લીધે ચારિત્ર ધર્મની સાધનાના અંગમાં ખામી આવે છે. આર્ય રક્ષિતસૂરિના પિતા મુનિને પૂર્વગ્રહ હતો, તેથી એ ચળપટ્ટાને બદલે પીતાંબર પહેરતા, છત્ર પાવડી રાખતા, ગોચરી નહોતા જતા. પરંતુ આચાર્ય મહા