________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૧ એટલે મેક્ષ અને અનિષ્ટ ફળ એટલે ઉન્માદાદિ. અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. પ્રતિજ્ઞાભંગાદિનું ફળ ઉન્માદાદિ છે. કહ્યું છે કે સાધુપણાનું સાચું ફળ મેક્ષ છે, મેક્ષ સિવાયનું ફળ એ ખેતીમાંથી પાકના બદલે ઘાસના ફળ જેવું છે. એ વસ્તુગત્યા ફળ જ નહિ ગણાય. વિધિ સહિત શ્રમણપણાનું ફળ મેક્ષ છે, તેથી ઉલટું, લીધેલી પ્રતિજ્ઞાના ભંગઆદિનું, અર્થાત્ આરાધનાને બદલે ઘેર વિરાધનાનું ફળ ઉન્માદ વગેરે ઘણું ઘણું આવે; નહિ કે એકલે સમ્યક્ત્વનો નાશમાત્ર ! કેમકે એમાં થયેલા સંકિલષ્ટ ભાવ એના નિર્મળ ચિત્તને નાશ કરે, કે પ્રતિજ્ઞાને ભંગ કરનારને ઉન્માદ (ચિત્તભ્રમ, ગાંડપણ વગેરે) થઈ જાય, કઈ દીર્ઘ કાળને રોગ-વ્યાધિ મળે, અથવા કેવળી સર્વજ્ઞા ભગવાને ભાખેલા શુદ્ધ ધર્મથી ભ્રષ્ટ થવાનું મળે.
પ્રવે-અનારાધના(અવિધિથી સાધના)નું કેમ કાંઈજ ફળ નહિ ?
ઉ૦-એટલા માટે, કે નિશ્ચિતપણે એટલે કે વસ્તુગત્યા તે, એણે આરાધનાને પ્રારંભ (ઉદ્યમ) જ ક્યાં કર્યો છે? હેય તત્ત્વથી અનારાધના અને આરાધનાનું ફળ આવે, એ કેવી રીતે બને? સામગ્રી જે આરાધના કરતાં જૂદી, તે આરાધનાની સામગ્રીનું ફળ ન જમે. નહિતર અતિપ્રસંગ આવે; દા. ત. સામગ્રી હેય વસ્ત્રની, સુતર, વણકર, શાળ વગેરે, અને કાર્ય જુદું નીપજે ઘડે, એવું કાં ન બને? પણ એમ બનતું નથી. એમ આનારાધના થકી આરાધનાનું ફળ ન નીપજે.
પ્રવે-સૂત્રાદિ માટે પરિશ્રમ કરવા છતાં, વિધિની ઉપેક્ષા કરીને એ અનારાધક બની રહ્યો છે, એ શી રીતે ઓળખાય?