________________
૩૬૮
[પંચસૂત્ર-૪ વિરાધના આચરાવી દે છે. પણ સેપક્રમ કર્મવાળાને પુરુષાર્થ એ કર્મનાવિયાકેદયને અટકાવી ક્ષપશય પમાડી દે છે, તેથી વિરાધના નથી થતી. આ સૂચવે છે કે સમ્યગ્યદર્શનાદિ બીજ પ્રાપ્ત હોય એને દોષથી બચવા પુરુષાર્થ તે હેય જ, ઉપેક્ષા ન હોય. નહિતર ઉપેક્ષા-બેપરવાઈમાં તે બીજ જ પ્રાપ્ત શાનું?
આ પ્રમાણે દીક્ષા લઈ સમ્યફક્રિયામાં જોડાયેલો આત્મા વિકસતા શુદ્ધભાવ અને મહાસત્રના પ્રભાવે વિપર્યાસ ન પામતે, સમદષ્ટિ, ગુરુપ્રતિબદ્ધ, ગુરુકુળસેવી, તવદશીં, શિક્ષારક્ત, નિરાશસ, મંત્રવતુ સૂત્ર-અધ્યેતા, લિષ્ટ કર્મના અભાવે અવિરાધક, અને શાસ્ત્રોક્ત આદેશ બરાબર પાળનાર એ કે હેય? તે કે અષ્ટ પ્રવચનમાતાને સમ્યફ પાલક હોય. “પ્રવચન એટલે શ્રી સર્વજ્ઞ ભગવાનનું ચારિત્રદેશક વચન (આજ્ઞા). એમજ પ્રવચન એટલે આજ્ઞાએ ફરમાવેલું ચારિત્ર, એ બાળ જેવું છે. એને સાચવનાર માતા જોઈએ, તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એ આઠ પ્રવચનની માતા કહેવાય છે. એ પાંચ સમિતિએ સમિત, અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત હોય. સમિતિ-ગુપ્તિનું ખૂબ ચેકસાઈથી-ચીવટથી પાલન કરે.
સમિતિ એટલે સમ્યગૂ-ઉપગ અને મર્યાદાવાળી પ્રવૃત્તિ આત્માને એમાં દોષ ન લાગવા દેવાની સાવધાની (જાગૃતિ) હોય, અને પ્રવૃત્તિ મર્યાદાવાળી હોય. ગુપ્તિ એટલે ગોપન, નિવર્તન. શાસ્ત્ર સમિતિને પ્રવૃત્તિરૂપ અને ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઊભય સ્વરૂપ કહી છે. ગુપ્તિમાં જેમ અશુભ થકી અને અનાવશ્યક થકી પાછા હટવાનું છે, તેમ શુભ અને આવશ્યકમાં પ્રવૃત્ત પણ થવાનું છે.