SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ [પંચસૂત્ર-૪ વિરાધના આચરાવી દે છે. પણ સેપક્રમ કર્મવાળાને પુરુષાર્થ એ કર્મનાવિયાકેદયને અટકાવી ક્ષપશય પમાડી દે છે, તેથી વિરાધના નથી થતી. આ સૂચવે છે કે સમ્યગ્યદર્શનાદિ બીજ પ્રાપ્ત હોય એને દોષથી બચવા પુરુષાર્થ તે હેય જ, ઉપેક્ષા ન હોય. નહિતર ઉપેક્ષા-બેપરવાઈમાં તે બીજ જ પ્રાપ્ત શાનું? આ પ્રમાણે દીક્ષા લઈ સમ્યફક્રિયામાં જોડાયેલો આત્મા વિકસતા શુદ્ધભાવ અને મહાસત્રના પ્રભાવે વિપર્યાસ ન પામતે, સમદષ્ટિ, ગુરુપ્રતિબદ્ધ, ગુરુકુળસેવી, તવદશીં, શિક્ષારક્ત, નિરાશસ, મંત્રવતુ સૂત્ર-અધ્યેતા, લિષ્ટ કર્મના અભાવે અવિરાધક, અને શાસ્ત્રોક્ત આદેશ બરાબર પાળનાર એ કે હેય? તે કે અષ્ટ પ્રવચનમાતાને સમ્યફ પાલક હોય. “પ્રવચન એટલે શ્રી સર્વજ્ઞ ભગવાનનું ચારિત્રદેશક વચન (આજ્ઞા). એમજ પ્રવચન એટલે આજ્ઞાએ ફરમાવેલું ચારિત્ર, એ બાળ જેવું છે. એને સાચવનાર માતા જોઈએ, તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એ આઠ પ્રવચનની માતા કહેવાય છે. એ પાંચ સમિતિએ સમિત, અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત હોય. સમિતિ-ગુપ્તિનું ખૂબ ચેકસાઈથી-ચીવટથી પાલન કરે. સમિતિ એટલે સમ્યગૂ-ઉપગ અને મર્યાદાવાળી પ્રવૃત્તિ આત્માને એમાં દોષ ન લાગવા દેવાની સાવધાની (જાગૃતિ) હોય, અને પ્રવૃત્તિ મર્યાદાવાળી હોય. ગુપ્તિ એટલે ગોપન, નિવર્તન. શાસ્ત્ર સમિતિને પ્રવૃત્તિરૂપ અને ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઊભય સ્વરૂપ કહી છે. ગુપ્તિમાં જેમ અશુભ થકી અને અનાવશ્યક થકી પાછા હટવાનું છે, તેમ શુભ અને આવશ્યકમાં પ્રવૃત્ત પણ થવાનું છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy