________________
૪પ૭
પ્રવ્રયા-ફલસૂત્રમ] કાળ વગેરેની ભિન્નતાને અનુસરીને જ મોક્ષ થાય છે.
પ્ર-તથાભવ્યત્વ જુદું ન હોય છતાં જુદા જુદા સહાયક નિમિત્ત કારણને લઈને મેક્ષફળ જુદી જુદી રીતે પામે એવું કેમ ન બને ?
ઉ૦–પણ પહેલું તે સહાયક કારણોમાં ભિન્નતા જ શાથી આવે છે? બીજા સમાધાનના અભાવે કહેવું પડશે કે તથાભવ્યત્વાદિની ભિન્નતાને લઈને. કેમકે સહાયકોને એ સ્વભાવ છે કે તથાભવ્યત્યાદિને આધારે ચાલવું. નહીંતર તે તે સહાયક ચેકસરૂપે આવી મળે નહિ. આનું કારણ એ છે કે કેઈની અપેક્ષા વિના નિમિત્તે મળી જતા હોય તે પ્રશ્ન એ થાય કે સર્વ ભવ્ય જીવોને તે એકી સાથે કેમ ન મળે ? અથવા કેઈને કદીયે ન મળે એવું કેમ ન બને ? વસ્તુસ્થિતિએ બનેમાંથી એકે વાત બનતી નથી. અને તે એ છે કે અમુક અમુક ચક્કસ રીતે અમુક અમુક ચોક્કસ સમયે તે નિમિત્તે આવી મળે છે. તે સમાન નહિ પણ વિચિત્ર પ્રકારના તથાભવ્યત્વાદિને આધાર રાખતા હોવાથી બને છે. આમ ભવ્યત્વથી ભવ્ય સમાન છતાં તથાભવ્યત્વથી અસમાન છે, એમ અનેકાન્ત છે. એવી રીતે સિદ્ધ સાદિ પણ છે અને અનાદિય છે, એ અનેકાન્ત છે. . (૬) અનેકાંતવાદથી જ તત્ત્વવ્યવસ્થા : (૭) બદની જ મુક્તિ : અરૂપીને બંધ કેમ?
સૂત્ર—બળતરા તત્તવાળો વસ્તુ ઘર્ષ, સંતો . मिच्छत्तमेसो । न इतो ववत्था । अणारिहमेअं।.संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सद्दत्थरहिआ।
અથ:-અનેકાંતવાદ એ તત્વવાદ છે. (તથાભવ્યત્વાદિ