________________
૪૬૨
[ પંચસૂત્રકર્મને બંધ ન પડી શકે એ વાત સાચી છે. પરંતુ અહીં તે પૂર્વ કાળથી આત્મા કર્મના લેપે લેપાયેલ હોવાથી રૂપી મૂર્ત જે છે. તેથી એના પર ન કર્મબંધ લાગી શકે છે. વળી પૂર્વે એ લેપ પણ એની પૂર્વે આત્મા બીજા કમથી લેપાયેલ જે હતું, એના પર લાગ્યું હતું અને એથી દૂર પૂર્વની લેપાયેલી સ્થિતિ પણ એની પૂર્વભવમાં આત્મા એથી પૂર્વેથી લેપાઈને આવેલે તેના પર બનેલી. એટલે એ કેઈજ ભૂતકાળ નથી કે જેમાં જીવ કર્મથી લેપાયલે ન હોય, ને કર્મ બાંધવાની કિયા ન કરી હોય. અર્થાત્ આત્મા પર કર્મબંધપ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે.
અહે! જીવની આ કેવી મૂર્ખતા કે એણે કર્મ બાંધવાને એટલે કે પિતાને મલિન કરવાને જાણે સ્વભાવજ બનાવી દીધે! દૂધની સફેદાઈ, ખાંડની મીઠાશ, કે કાજળની કાળાશના સ્વભાવ મૂળથી. એની જેમ જીવનો કર્મ બાંધવાને સ્વભાવ મૂળથી. કઈ ભૂતકાળમાં બંધની કિયાના સ્વભાવ વિના જીવી રહ્યો નહિ! ખૂબી તે એ, કે કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચેટવા નથી આવતે; તેમ છતાં આત્મા એને નિમિત્ત આપીને પિતાની પર ચુંટાડ્યા વિના અને તેથી અનંત દુઃખી બન્યા વિના રહ્યો નથી! આમ અનંતાનંત કાળની આ બાળચેષ્ટાની ભયંકરતાનું પણ હજી એને ભાન નથી થતું, એ એક માનવપણુમાં કમનસીબી છે! હવે તે એ ભાન લાવીને બંધની ક્રિયાને અંત લાવવું જોઈએ. એ અંત લાવવાનું સામર્થ્ય માનવભવમાં જ છે, માટે માનવભવ એ માટે જ મળે ગણાય, અને એ અંત લાવવાથી જ સફળ થાય.