________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૬૧ હેય, એનેજ સિદ્ધ થવાનું હેય, બીજાને નહિ. મૂળથી જ સિદ્ધ હોય, એને શું સિદ્ધ થવાનું હતું? જે બદ્ધ (બંધાયેલો હોય, એને બંધનથી છૂટી મુક્ત થવાનું હોય; એની મુક્તિ વાસ્તવિક ગણાય. બાકી કદી ય જે બદ્ધ નથી, એની મુક્તિ વાસ્તવિક ન ગણાય. બંધ જ નહિ હેવાથી એનામાં મુક્તિ શબ્દનો અર્થ ન ઘટે. કદાચ એનામાં મુક્તને વ્યવહાર ઉપચારથી કર હોય, તે અસલી મુક્તિ તે “પ્રકૃતિ” વગેરે કઈ બીજાની માનીને, એને ઉપચાર આત્મામાં કરવામાં આવતું હોય એવું બને – આ સાંખ્યાદિને મત છે. પરંતુ તે બેટ છે. કેમકે જો આત્મા નહિ પણ પ્રકૃતિ બદ્ધ છે, તે પ્રકૃતિ ભલે દુઃખી હેય, કિંતુ શુદ્ધ સ્વરૂપી આત્માને શું? પછી મુક્તિ માટે પુરુષાર્થ પણ આત્માએ શા સારૂ કરે? “પ્રકૃતિના કાર્યને પોતાનામાંથી ભ્રમ ટાળવા માટે”—એમ જે કહેવામાં આવે, તે એનો અર્થ એ કે “આત્મા પિતે બદ્ધ નહિ છતાં પ્રકૃતિની બદ્ધતા પિતાનામાં આરોપિત કરવાના ભ્રમવાળે તે છે જ. એવું સ્વીકારવામાં આપત્તિ એ આવશે કે એ ભ્રમવાળી દશા પૂરત પણ આત્મા અશુદ્ધ અને બદ્ધ ગણાશે ! તે જ પછી “ભ્રમ ટળે આત્મા શુદ્ધ અને મુક્ત બન્ય” એ કથન સાર્થક થશે. આમ આત્મા બદ્ધ છે તે જ મુક્ત થવાનું ઘટી શકે. અબદ્ધની મુક્તિ થતી હોય, તે અબદ્ધ જડ આકાશાદિની પણ મુક્તિ કેમ ન થાય?
અરૂપીને બંધ કેવી રીતે :
પ્ર-ઠીક છે આત્મા બદ્ધ છે એમ માનીએ પણ અરૂપી અમૂર્ત આત્મા પર મૂર્ત કર્મ પુદ્ગલને બંધ કેવી રીતે ઘટે?
ઉ૦-આકાશની જેમ કેવળ શુદ્ધ અરૂપી આત્મા પર રૂપી