________________
૪૨૩
પ્રવજ્યા-પરિપાલન] આરાધનાથી ખેંચાઈ આવે છે તથા તે પછી સમ્યફ પ્રવર્તે છે અને આકુળતા વિના એ ફળે છે.
વિવેચન : સમ્યગ જ્ઞાન-ક્રિયાનું સ્વરૂપ
જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: ” એ સૂત્રમાં “જ્ઞાન” શું ? અને કિયા” કેવી ? એ બતાવતાં અહીં કહે છે કે પૂર્વોક્ત આરાધનાઓને અતીય શ્રદ્ધાસંપન્ન સમ્યગ્ર બેધ એ “જ્ઞાન” છે; કેમકે ઈષ્ટ વસ્તુતત્વને જણાવનારૂં જે જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય છે. અને ક્રિયા તે છે કે જે આવી જ્ઞાન-દશામાં શુભગ સિદ્ધ થાય છે, અર્થાત આ લેક પરલેકમાં ઈન્ટહિતને પેદા કરનાર શુભ પ્રવર્તન નીપજે છે. એ શુભ યેગમાં સમ્યફજ્ઞાનદશાના અવલોકનથી ભિન્ન ભિન્ન અનુબંધ અંગે નિપુણ નિરીક્ષણ છે. જ્ઞાનદશાથી જોયા કરે છે કે આ શુભકિયા વખતે હૃદયમાં અનુબંધ કયા પડી રહ્યા છે ? જે ભાવ વિશુદ્ધ હશે તે શુભાનુબંધવાળે પુણ્ય ઊભું થશે. પણ જે કઈ વિષય, કષાય કે ક્રિયાના ખેદ વગેરે ભાવ આવ્યા તે તે અશુભાનુબંધ નાખશે. માટે વિશુદ્ધ ભાવનું લક્ષ સચેટ રહે, એ રહેતું હવાથી, સર્વે ઉચિત જ વાતવસ્તુને સ્વીકાર મુખ્ય હોય છે, એથી કઈ અનુચિતને સ્વીકાર નથી કરવામાં આવતું. તેજ એ શુભયોગ જ્ઞાનદશાને ગણાય. નહિતર જે અનુચિત આચરાતું હેય, ઉચિતતાની બેપરવા હોય, તે જ્ઞાનદશા શી? અજ્ઞાન મૂઢ પણ એવું તે આચરે છે.
પ્ર-જ્ઞાનની આટલી બધી કડક ઉચ્ચ ભૂમિકા કેમ બાંધે છો?