________________
૪૩૦
[ પંચસૂત્ર-૪ પ્રભાવે પરાર્થ પણ સાધે છે. પરાર્થ એટલે બીજાનું ભલું. એ બે જાતનું હોય, (૧) ગૌણ પરાર્થ અન્નદાનાદિ, વા મિથ્યાદષ્ટિ કલ્પિત આત્મા-મેક્ષ-મક્ષહેતુ અંગેના તવના બેધ આદિનું દાન; (૨) પ્રધાન પરાર્થ ધિબીજ વગેરેનું સ્થાપન. આ સાધક “પર” યાને પ્રધાન પરાર્થ સાધે છે, તે પણ સમ્યગ્રીતે, અવિપરીત પણે, અર્થાત પરહિત સાથે તે કમથી સાધે, કિન્તુ ગમે તેમ નહિ. દા. ત. આ પંચસૂત્રની આદિમાં બતાવ્યું તેમ પહેલાં પાપપ્રતિઘાત-ગુણબી જાધાન કરાવે, પછી સાધુધર્મ–પરિભાવના કરાવે...વગેરે કમથી સધાવ્યું કહેવાય; પણ નહિ કે પહેલાં એનાં ઠેકાણું ન હોય, ને સીધી પ્રવ્રજ્યા જ સધાવવા માંડે. એમ અવિપરીતપણે એટલે આ ચોથા સૂત્રના પ્રારંભે બતાવ્યું તેમ વિપર્યાસવાળે પરાર્થ સધાવવાને નહિ.
પરાથી સત્યાર્થ કે સત્ત્વાર્થ ? :- અહીં ટીકામાં છાપેલી પ્રતમાં પરાર્થને અર્થ “સત્યાર્થ' છપાયે છે. એ પાઠ જે બરાબર હોય, તે ભાવ એને એ છે કે “સત્ય” એટલે “સતને હિતરૂપ સત એટલે આત્મા, એને હિતરૂપ કહેવાય દ્રવ્યહિત, ભાવહિત, દ્રવ્યદુ:ખનાશ, ભવદુઃખનાશ. આ બેમાંથી “પર” અર્થાત્ પ્રધાન છે ભાવહિત, અને એ છે આત્મવિશુદ્ધિ –આત્મશક્તિ વિકાસ, લાપશમિક અને ક્ષાયિક ગુણોને પ્રાદુર્ભાવ, આને એ સાધે છે. બાકી સાચે પાઠ “સર્વાર્થ ” સંભવે છે. સવ' એટલે જીવો, એને “અર્થ એટલે ઈષ્ટ, પ્રયોજન. એટલે કે જીવનું પ્રયોજન, જીવોનું ઈષ્ટ એ જ અહીં પાર્થ તરીકે લેવાનું છે. ટીકાકારને ‘પરાથને આ અર્થ મૂકવાનું કારણ એ છે કે એને બીજો અર્થ એ