________________
પ્રત્રજ્યા-પરિપાલન ]
૪૦૧
આ પ્રમાણે સદ્દગુરુ પાસે સમજી એને ગુરુ ઉપર અખંડ આસ્થા અને બહુમાન વિગેરે થાય. માનવજીવનને સાર એક માત્ર ચારિત્ર! એને વિધિસર ગ્રહણ કરી અપ્રમાદ અને સંયમશુદ્ધિમાં એ પૂર્ણ પ્રયત્ન આદરે. એમ કરતાં કર્મજેમ જેમ નાબુદ થતું જાય છે તેમ તેમ તેવા પ્રકારને મોહિ હટતું જાય છે. તેથી હવે ઈષ્ટના વિગે તેને દુઃખ કે દુર્ધાન થતાં નથી. અને અનિષ્ટ સંગથી કે શૂળ વગેરે વેદનાથી હાર્યાય નથી. કામ, કષાય, કે રતિ, અરતિ, હાસ્ય, શેક, ભય, જુગુપ્સાની પીડાએ શાંત થઈ જાય છે. એ શાંત થઈ ગયા, તેથી ચારિત્ર એટલે કે ક્ષમાદિ દશવિધ યતિગુણોરૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે. સમ્યફ અવલેકનથી એ પ્રાપ્ત થતું જોઈને, આત્માને શુભ ભાવ વધતું ચાલે છે ! અધિક ઊંચા ચારિત્રરૂપી આરોગ્યની કામના વધે છે. જેમ જેમ અતિઘણું કર્મવિકાર શમે છે, તેમ તેમ તેટલો અધિક અધિક આરોગ્ય-લાભ મળવાથી તે ચારિત્ર ઉપર એનું મમત્વ એર વધે છે.
હવે આના સિવાય પૃહણીય, જગતમાં કોઈ વસ્તુ એને નથી લાગતી. ક્યાંથી લાગે? દેવો જેવા પણ અનેક કષાયોની પીડામાં અને વિષયના વિકારોમાં સડતા હોય, એવું જાણ્યા પછી શી રીતે ચારિત્ર સિવાય ક્યાંય સહેજ પણ રુચિ થાય? એમ ચારિત્ર-આરોગ્ય પર અતિ આદર જાગ્યાથી પૂર્વે કહેલ દરદીના નસર્વિધન વગેરેની જેમ આ ચારિત્રની પણ ગમે તેવા ઉગ્ર સુધાદિ પરિસહ અને દેવતાઈ ઘોર ઉપસર્ગો વેઠવા તૈયાર રહે છે. એથી જરાય ડર્યા કે ડગ્યા વિના, “તેથી રોગ શમીને આરોગ્ય