________________
३७०
[ પંચસૂત્ર-૪ દેખી ત્યારે મુનિ કાઉસગ્નધ્યાને ઊભા રહી ગયા. દેવ પ્રસન્ન થઈ નમી પડ્યો. (૨) ભાષા સમિતિ અંગે મહાનિશીથ સૂત્રમાં રુકમીની કથામાં આવે છે કે મુનિને એક વાર બોલવામાં સમિતિભંગ થયે તેથી એની સજારૂપે એમણે જીવનભરનું મૌન રાખ્યું, એના ફળરૂપે ભવાંતરે એ રાજપુત્ર સુલભધિ, બાળપણથી પ્રભાવક બ્રહ્મચર્યવાળા, અને ગૃહસ્થપણે અવધિજ્ઞાની થયા! (૩) કૃષ્ણપુત્ર ઢંઢણ અણગારને અભિગ્રહ હતું કે સ્વલબ્ધિની ભિક્ષા મળે તે જ ભિક્ષા લેવી હવે અંતરાયકર્મ ઉદયમાં આવવાથી જ્યાં ને ત્યાં બાપની કે ગુરુની ઓળખાણ આગળ આવી! છ માસ સુધી ભિક્ષા ન મળી. અને કૃષ્ણ રસ્તામાં એમને વાંધા પછી મળેલ મોદક માટે તેમનાથ પ્રભુએ કૃષ્ણની ઓળખના કહ્યા, તેથી જરાય મન બગાડ્યા વિના દેષયુક્ત તરીકે પરઠવવા, વનમાં મૂકી દેવા, ચાલ્યા. ત્યાં પરઠવતાં ભાવના વધી ગઈ કેવળજ્ઞાની બની ગયા ! (૪) વલ્કલ ચીરી રાજતાપસપુત્ર, એ ભાઈ રાજા પ્રસન્નચંદ્રથી લઈ જવાયેલા કાલાન્તરે પાછા આવ્યા ઝુપડીમાંના પૂર્વે મૂકેલા ભાંડેને પ્રમાઈ રહ્યા છે, ત્યાં મનેમંથનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનાં ચારિત્રની સમિતિ નિહાળી ભાવનામાં ચડતાં કેવલજ્ઞાન પામ્યા!-(૫) ધર્મરુચિ અણગાર કડવી તુંબડીના શાકનું ટીપુ પરઠવતાં એમાં ગંધથી કીડી ખેંચાઈ આવી મરતી દેખી; તેથી ન પરડવતાં બધું પેટમાં પધરાવી દીધું! ઝેર ચડતાં શુભ ભાવનામાં મરી અનુત્તર વિમાનમાં ગયા ! (૬) કુમારપાળ મહારાજા દર ચોમાસે બ્રહ્મચર્ય ધારી મનથી પણ ભંગ થાય તે ઉપવાસને અભિગ્રહ રાખતા. આ મન પર અંકુશ એ મને ગુપ્તિ. (૭) મેતારજ મહામુનિ માસખ