________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૧ અર્થાત શાસ્ત્ર કહે છે, પરલોક સુધરે, વગેરે હેતુ તે બરાબર કિંતુ જ્ઞાન આત્મામાં એવું ખૂબ જ પરિણત કરી દે કે વિધિનિષેધની આજ્ઞાનું પાલનને સ્વભાવ બની જ જોઈએ. તે માટે.
(૨) દેષદુર્ગુણો પ્રત્યે યાવત્ પર પુદગલની પ્રવૃત્તિ પ્રત્યે સુગ થવી જરૂરી, દા. ત. ભવાન્તરે અશાતા મળે માટે હિંસા ન કરવી એમજ નહિ, પણ જીવની હિંસા થાય જ નહિ, હિંસાદિ ક્રિયા બહુ ખરાબ ! એ મારા આત્માની ચીજ નહિ, એમ કરી, અહિંસાને સ્વભાવ બનાવી દે. ગુરુમહારાજ કહે છે માટે આ તપ વગેરે કરું, એમ નહિ, પણ ભેજનક્રિયા પ્રત્યે સુગ છે, માટે તપ કરું. જેમ અબ્રહ્મ (મથુન)ની ક્રિયાથી સંસારમાં રખડવું પડે તેથી, અથવા શા એને નિષેધ કર્યો છે માટે એ તજે-એમ નહિ, પણ એના પ્રત્યે સુગજ થાય, અને તેથી તજે. એવું ભેજન રસમાં.
(૩) વળી અહિંસા તપ, બ્રહ્નચર્ય વગેરેને સ્વભાવમાં લાવવા એની સુંદર ભાવનાઓ ભાવ્યા કરે, “અહો ! આ ગુણ કેટલા ઉત્તમ, કેવા લાભદાયી, કેટલી આત્માને શોભા આપનારા !” ઈત્યાદિની, તેમજ પ્રતિપક્ષી દુર્ગુણની અધમતા વગેરેની ચિંતવન ખૂબ કરે.
(૪) વળી ગુણપાલન અને દષત્યાગ માટે બાહ્ય સામગ્રીથી જે પ્રેરણા મેળવતે હતો, તેને બદલે હવે અંતરમાંથી પ્રેરણા મેળવે. આ માટે શુભ સામગ્રી મળતાં મળેલી પ્રેરણાને, સામગ્રી ખસવા છતાં, ટકાવી રાખે. પ્રારંભે પ્રભુની મૂર્તિ જેતે હવે, ત્યારે જ જે શુભ ભાવ ઊઠતા હતા, અને પ્રભુના ગુણે જે યાદ આવતા હતા, તથા પ્રભુનું જે અનુપમ જીવન અને સ્વરૂપ