________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૭૫ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદીપકને તત્ત્વ પ્રકાશ પામ્યા કે એથી રાજા વિક્રમાદિત્ય જેવાને ય પ્રતિબધી જિનશાસનનાં પ્રખર પ્રભાવક બન્યા, ને એમની “સિદ્ધસેન દિવાકર” તરીકે પ્રખ્યાતિ થઈ!
આવા ચારિત્રદ્વીપ અને જ્ઞાન પ્રદીપના દરેકના ૨-૨ પ્રકાર છે.
દ્વીપના બે પ્રકાર-૧. કેટલાક ડૂબતા, ૨. કેટલાક તરતા. ડૂબતા બેટ એટલે એટલે એના પર સમુદ્રના પાણી ચઢી જાય ત્યારે દેવાઈ ડૂબી જાય એવા. બીજા તરતા,-સ્થિર જોવાઈ ન જાય એવા દ્વીપ. અહિં ક્ષાપશમિક ચારિત્ર એ પહેલા પ્રકારના દ્વીપ જેવું છે, અને ક્ષાયિક ચારિત્ર એ બીજા પ્રકારના
દીવ પણ બે પ્રકારને -૧. અસ્થિર-વિનાશી; ૨. સ્થિર-અવિનાશી. નિયતકાળ-નિયતક્ષેત્રવાળે તે અસ્થિર તેલને દીવે; અર્થાત્ તે તેલ આદિ સામગ્રી વિનાના કે વટાળ આદિ વિનવાળા બીજા ક્ષેત્રકાળે બુઝાઈ જાય. ત્યારે ક્ષેત્ર અને કાલનું જેને બંધન નથી એ મહા રત્નદીપક નિત્ય સ્થિર દીવે.
ક્ષાપશમિક મતિ શ્રત વગેરે જ્ઞાન અસ્થિર દીવે છે; સ્થિર દવે ક્ષાયિકજ્ઞાન, કેવલજ્ઞાન. દીપ દ્વીપ બંનેમાં પ્રથમ જે ક્ષાપશમિક, એ વિલબે ઈષ્ટ ક્ષસિદ્ધિ માટે થાય, કેમકે, વ્યાઘાતના ભયવાળું છે. બીજું ક્ષાયિક દીપદ્વીપ એ વિલંબ વિના ઈષ્ટ મોક્ષસિદ્ધિ માટે થાય, કેમકે વ્યાઘાત-રહિત છે. સાધક આ બધું માત્ર જાણે એમ નહિ, પરંતુ અસ્થિર ક્ષાપશમિકમાંથી સ્થિર એવા ક્ષાયિક ચારિત્રને ક્ષાયિક જ્ઞાનમાં જવા ઉદ્યમ કરે.
એ એ દ્વીપ શું ચીજ છે? દરિયામાં પડેલાને દ્વીપ મળ્યાથી જેમ સાગરમાં તણાઈ જવાનું રહેતું નથી, દ્વીપ એને