________________
૩૭૧
પ્રવજ્યા-પરિપાલન ] મણના પારણે સોનીને ત્યાં વહેરી પાછા વળતાં જુએ છે કે કૌંચ પક્ષી સેનાના જવલા ચણી ઝાડ પર બેઠું. અજાણ સેની બહાર આવી પૂછે છે “જવલાં ક્યાં ? મુનિ બોલવામાં પક્ષીની હિંસા જોઈ મૌન રહ્યા, વચનગુપ્તિ પાળી. સનીએ મુનિને તડકે માથે વાધર બાંધી ઊભા રાખ્યા. મુનિ ભાવનામાં કર્મ અપાવી મોક્ષે ગયા ! (૮) ધ્યાનસ્થ ગજસુકુમાળ મુનિના માથે મિલ સસરાએ માટીની પાળ બાંધી માંહી અંગારા ભર્યા. મુનિ રખે હાલું તે અંગારે નીચે પડી જવ મારે!” તેથી સ્થિર ઊભા રહ્યા. કાયગુપ્તિ સાથે મને ગુપ્તિ વચનગુપ્તિ રાખી કર્મ ખપાવી મેક્ષ પામ્યા !
આ સમિતિ-ગુપ્તિ અનાદિકાળના હિંસા અને પ્રમાદના અભ્યાસી આત્માને હવે સૂક્ષમ જીવને પણ મહા દયાળુ બનાવે છે, અને પોતાનામાં અપ્રમાદના શુભ ઉપયોગને જાગ્રત રાખે છે. એ શુભ ઉપગમાં સહજ શુભ ભાવને પોષી પુણ્યથી, અને શુભ ધ્યાનને પિષી વિપુલ સકામ નિર્જરાથી, આત્માને પુષ્ટ અને સમૃદ્ધ કરે છે. જગતને નિયંત્રિત કરવા સમર્થ છતાં પિતાના આત્માને જ નિયંત્રિત કરવા દેવ પણ સમર્થ નથી. તે પુરુષ વિશ્વમાં કેઈ વિરલ જ જડે. સમિતિ-ગુપ્તિ આ આત્મનિયંત્રણ કરવાનું મહાન કલ્યાણ-સામર્થ્ય બક્ષે છે. એથી અજ્ઞાન એવા માષતુષ મુનિ જેવા પણ સર્વજ્ઞ બની મેસે સધાવે છે. “અહે! કેવી એ સમિતિગુપ્તિની કલ્પવેલડી! જીવ! બીજું ન આવડે તે કાંઈ નહિ, આ સમિતિગુપ્તિને નિષ્ણાત (Expert) બનજે,' એમ મનને પ્રોત્સાહિત રખાય.