________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૯
માતાપિતા અજર અમર બની શકે. આ એમને છેડીને જવામાં સભવિત છે, માટે સત્પુરુષે ચારિત્ર લેવા માટે એમને છેડી જવું એ ચેગ્ય છે. શાથી ચેાગ્ય ! માતાપિતાના ઉપકારના બદલા વાળી શકાય તેવા નથી, ભલે સાંસારિક ગમે તેટલા સુખનાં સાધન-સગવડ લાવી આપે, ગમે તેટલી તેમની સેવા ચાકરી કરે, તેા પણ બદલો ન વાળી શકે. કેમકે એમણે પુત્રની ગર્ભ અને ખાળપણાની કટોકટીમાં જે ઉપકાર કર્યાં છે, તેવી માબાપની કટોકટી થાય અને એવા ઉપકાર કરે, તે તુલ્ય ઉપકારે એમના ખદલો વાળ્યેા કહેવાય. પણ તે શકય નથી. શકય હાય તાય તે એક જ જન્મના ઉપકાર થાય. એ તા એક માત્ર ધમ ઔષધ પમાડીને જ બદલો વાળી શકાય. હવે જો એ ધમ પમાડી શકવાના જીવનકાળમાં મિથ્યા કલ્પનાથી ઘરમાં બેસી રહી, ધમ પમાડવાના પ્રસંગ ગુમાવાય, તા એમને કરાગે ભવના દુ:ખામાં રીખાવું રહ્યું. પરમાની દૃષ્ટિએ આ એમની પ્રત્યે કેટલી ક્રૂરતા ? તેથી જ સત્પુરુષોને એ ધર્મ છે કે માતાપિતાના ઉપકારના બદલો વાળવા જોઇએ.
ત્રિલોકનાથ શ્રી મહાવીર પ્રભુનુ' આમાં સચાટ દૃષ્ટાંત છે. જ્ઞાનથી એમણે પાતે ચારિત્ર લે તે તેથી માતાપિતાને ભયંકર અકુશલાનુખ ધ શાક થાય,' એમ જાણી ગર્ભમાં જ અભિગ્રહ ધારીને એ શેકને અટકાવ્યેા. સાતમે માસે ગર્ભમાં જ રહ્યા પ્રતિજ્ઞા કરી કે ‘માતાપિતાના જીવતા હું દીક્ષિત નહિ થાઉ” અહિં એ ખાસ સમજવાનું, કે શ્રી મહાવીરવિભુ ગાઁથી અવધિજ્ઞાને સંપન્ન હતા. એથી એ જાણી શકે છે કે આ માતાપિતાને જો શાક થવાનું નિમિત્ત ન અપાય, તે। એમની