________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ].
3०७ | મરદેવા માતા, ષભદેવ ભગવાન ચારિત્ર માર્ગે સંચર્યા ત્યારે, રેતા હતા. તે એવું રતા રહ્યા કે આંસુ લૂછવાને અવકાશ નથી તે સુકાઈ સુકાઈ આંખો આડે એના પડળ બંધાઈ ગયા ! એક હજાર વરસ સુધી એ દુઃખી રહ્યા તે શું એ પ્રભુએ અજુગતું કર્યું ? ના, હજાર વર્ષ પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા અને તરત મરુદેવા માતા ત્યાં આવી પ્રભુની દેશના સાંભળી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા ! કેટલું સુંદર ! માતાના રુદન પર પ્રભુ ઘરે બેસી રહ્યા હતા તે માતાને શું પમાડત? માતા એમ આયુષ્ય ખૂટ રાગ પષાતો રહેવામાં ક્યાં જાત?
- કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માતાએ એમના પિતાની ગેરહાજરીમાં ગુરુને વહેરાવી દીધા, તે પિતા ઘરે આવી ધુંઆ ફુઆ થતાં લેવા ઉપડ્યા. ઉદાયન મંત્રીએ એની આગળ સેનયાને ઢગલે અને પિતાના દેવકુંવર જેવા બે પુત્ર વાભટ્ટ અને આમ્રભટ્ટને આગળ કરી કહ્યું-આ સેનૈયા અને આ બે પુત્રમાંથી ગમે તે પુત્ર લઈ જાઓ, પણ તમારા શાસન પ્રભાવક તેજસ્વી પુત્રરત્નને ગુરુને સોંપી દે. ચારિત્ર લઈ, એ શાસનના સૂર્ય પાકશે ! હજારો લાખો લેકેને ધર્મ પમાડશે!” બાપે પીગળી જઈ કશું લીધા વિના દીક્ષા અપાવી, જાતે ધર્મ પ્રાપ્તિ કરી.
વાસ્વામીએ માતાની નારાજીમાં દીક્ષા લીધી, તે પાછળથી માતા પ્રતિબોધ પામી ચારિત્ર લેનારી બની. અવંતી સુકુમાળે ઘરમાં ગુપ્તપણે સાધુવેશ પહેરી લીધે, તે રેતી માતા તથા સ્ત્રીએ શાંત પડી ગઈ અને માતાએ પુત્રને જાતે જઈને ગુરુને સોંપી દીક્ષા અપાવી, અને અવંતીના સ્વર્ગમન પર એક