________________
૩૦૮
| [ પંચસૂત્ર-૩ ગર્ભિણ પત્ની છેડી ૩૧ પત્ની તથા માતા પણ દીક્ષા લેનારી બની. આજે પણ દેખાય છે કે પુત્રની દીક્ષા પછી માતાપિતા અને કુટુંબીઓ ધર્મમાં આગળ વધ્યા છે. એ પ્રભાવ એ દીક્ષિતને છે, પછી ભલે એણે માતાપિતા-કુટુંબીઓની એટલી હશે નહિ છતાં દીક્ષા લીધી હેય.
સૂવાર તે તમત્તારૂપાળા નીવવિજ્ઞા વંતિર્થ, अमरणावंझबीअजोगेणं । संभवाओ सुपुरिसोचिअमेअं। दुष्पडिआराणि अ अम्मापिईणि । एस धम्मो सयाणं । भगवं इत्थ नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगंति ।
અર્થ:-એ (પુત્ર) માબાપને સમ્યફવાદી ઔષધ પ્રાપ્ત કરાવવા દ્વારા અત્યંત (શાશ્વતકાળનું) જીવન પમાડે, કેમકે અમપણાનું સચોટ બીજ મળી ગયું! (ઔષધસંપાદનાદિન) સંભવ હેવાથી આ (માબાપ-ત્યાગ પૂર્વક ઔષધસંપાદનાદિ કરવું એ) સપુરુષને ઉચિત છે. માતાપિતાના ઉપકારને બદલે વળે એમ નથી. પુરુષોનો આ ધર્મ છે (કર્તવ્ય છે.) આમાં માતાપિતાના અશુભાનુબંધી શેકને અટકાવનાર ભગવાન દષ્ટાંત છે.
વિવેચન –એમ માતાપિતાને મૂકીને ગયા પછી એ શુકૂલપાક્ષિક પુરુષ એમને પિતાનાં ચારિત્ર-બળે સમ્યકત્વાદિઔષધિ લાવીને પમાડી શકે છે, અને એથી શાશ્વત જીવન આપી શકે છે. કેમકે, સમ્યક્ત્વાદિ તે જીવને મૃત્યુના સીમાડા ઓળંગી જવા માટે અમેઘ ઉપાય છે. અર્થાત છેલ્લું મરણ એટલે કે મરણને અંત લાવવા માટે એ સચોટ સાધન છે. એનાથી જ ચારિત્ર આદિ પ્રાપ્ત થઈ સર્વ કર્મક્ષય થાય, ને મોક્ષ નીપજે. કહેવાય કે સમ્યક્ત્વના યોગથી જ