________________
ત્રિજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૧ ઔષધ લાવી એમને એનાથી નરેગી કરી જીવંત રાખી શકે એ સંભવ છે. એટલે ઔષધ લેવા જવા અર્થે એ તેને ત્યાગ જ ડહાપણભર્યો છે. એ પુત્ર સાચો સેવક છે, માતાપિતા તરફ ભક્તિવાળે છે. જે તેમને અત્યારે ત્યાગ કરીને ન જાય, તે રેગી માતાપિતા જરૂર મરી જાય. એટલે એ અ-ત્યાગ તે ઉલટે હંમેશના ત્યાગમાં પરિણમે. સાથે તે વળી ભૂખ્યો મરે એ જુદું. પ્રવૃત્તિનું મૂલ્યાંકન ઉપલક દષ્ટિએ ન થાય, પણ ફળથી થાય. પંડિત પુરુષો કેઈપણ પ્રવૃત્તિ વખતે પરિણામને મુખ્ય કરનારા હોય છે. ધીર પુરુષો સૂમ દષ્ટિએ ફળને લક્ષ્યવાળા હોય છે. અહીં સંભવ છે કે એ ઔષધી લઈને આવે એનાથી તે માતાપિતા બચી જાય; કેમકે હજી એ કાળ કાઢે તેમ છે. જ્યારે, ન જાય તે મરવાને જ નિર્ણય છે. તેથી એમને આજીવિકા–વસ્ત્રાદિ દઈ ત્યાં બેસાડી તેમનું ઔષધ લેવાને માટે અને પોતાના નિર્વાહ માટે જાય. એમ માતાપિતાને છોડી જનાર એ પ્રશંસાપાત્ર છે. ઔષધ લાવી આપીને તેમને જીવાડે એ સંભવ હેવાથી એમ આચરવું એ જ ઉચિત છે.
સૂત્ર-પુર્વ સુવિઘ મલ્હાપુરિને સંપર્વતારહિg - पिइसंगए धम्मपडिबध्धे विहरिज्जा । तेसिं तत्थ निअमविणासगे, अपत्तवीजाइपुरिसमित्तासज्ञ, संभवंत सम्मत्ताईओसहे, मरणाइविवागे कम्मायके सिआ । तत्थ से सुक्कपखिए पुरिसे धम्मपडिबंघाओ एवं समालोचिअ-“विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण । तस्स संपाडणे विभासा । कालसहाणि अ एआणि ववहारओ" ।
અર્થ –એ રીતે શુલપાક્ષિક મહાપુરુષ સંસારરૂપી અટવીમાં પડેલો (પણ) ધર્મને વળગી રહી માતાપિતા સાથે