________________
પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ]
૨૯
સર્વને અભયદાન તથા ભવાંતર માટે સુસંસ્કાર-નિધિ કમાઈ લઈએ. નહિતર જુએ કે આપણને મનુષ્યના આવા તો કેટલાય જીવતર મળી ગયા હતા, પણ તે આ લોક અને પરલોક બંને માટે વેડફી બગાડી નાખેલા. તેથી હવે આને જરૂર સફળ કરી લે.” દીક્ષાર્થીની આ સમજાવટ યથાર્થ છે. શંખ-કલાવતીમાં શંખ રાજા, ભવદેવ (જંબૂકુમારને જીવ) વગેરે એના અનેક દષ્ટાંત છે કે જે ચારિત્રથી ઊંચે આવ્યા છે.
બીજી પણ એક વાત છે, તે કહે છે, “તમને મારા પર પ્રેમ છે. આપણે વિગ ન થાય એવું ઈચ્છે છે. આમ તે મૃત્યુએ તે વિગ નિશ્ચિત જ છે, કેમકે પછી તે આપણે દરેકને જુદાજુદા કર્મ મુજબ જુદે જુદે સ્થાને જવાનું હોય છે. પરંતુ જો આપણે બધા સાથે એક સરખું ચારિત્ર આરાધીશું તે લાંબા સમય સુધી એટલે કે ભાવી ભવમાં પણ આપણે અવિયેગ (સંગ) ચાલુ રહેશે, પણ વિગ નહિ થાય. કેમકે, સમુદાયે કરેલા કર્મ– (સુકૃત કે દુષ્કૃત)નાં ફળ સામુદાયિક રીતે ભોગવવાના બને છે. કોઈ આગ, લૂંટ, ફાંસી વગેરેને એક સરખા રસથી કરનાર કે જેનાર સમુદાય, એ ભવારે ભેગા થઈ કોઈ તેવા જ આગ, રેલ, ધરતીકંપ વગેરે એક સરખા અકસ્માતથી એકી કલમના કુમૃત્યુને પામે એવું બને છે. એમાં કોઈ વિશિષ્ટ ધર્મસુકતની સાધના સાથે કરીએ, તે એ એક સરખી સાધનાના પ્રભાવે એક સરખા પુણ્યથી ભવાન્તરે કોઈ સદ્ગતિમાં બધા ભેગા થઈ શકાય; ત્યાં પણ સમાન સુકૃત સાધી ક્રમે કરી બધા સાથે મેક્ષ સુધી પહોંચીએ. એમ કદિ ય વિયાગ ન થતાં, આપણે કાયમી દીર્ઘ સંયોગ રહે.