________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ]
૨૭૭
જોવામાં આવે તે દેખાય કે (૧) એની સામે દિવ્ય ભેગો પણ આવે, તે તેથી તેને હર્ષને ઉન્માદ થતું નથી; તેમજ (૨) અનિષ્ટ અને પ્રતિકુલ પ્રસંગો કે વિષયે આવે, તે લાનિ પણ ઉપજતી નથી. (૩) એ ઉપરાંત કષાયને એણે એટલે બધે ઉપશમ કર્યો હોય છે, કે જેથી માતાપિતા વગેરે ચકિત અને આકર્ષિત બની જાય છે. કેઈ તેના ઉપર ગમે તેટલો ગુસ્સે કરી જાય, તેનું બગાડી જાય તે પણ તેનું મન લેશમાત્ર વિકૃત ન થવા દેવા સાવધાન હોય છે. તેને હવે હુંપદ નથી, કે માયા-ખટપટને સ્પર્શ નથી. એને જીવનની જરૂરિઆતે ઘણું એછી, એટલે ઈચ્છાઓ બહુ ઓછી.
એમ “તવાનુસારિતા પણ એ ગુણ છે કે જેથી એ વસ્તુમાત્ર કે પ્રસંગમાત્રને ઉપલક ન જતાં તત્ત્વની દષ્ટિએ જુએ છે; સર્વત્ર વસ્તુતત્ત્વ શું એ તપાસનારે હોય છે. તેથી પામર જી કરે એવા અતાત્વિક વાત-વિચાર-વ્યવહાર અને પસંદ નહિ, એ આદરે નહિ. એના વાત-વિચાર-વ્યવહારને ઝોક વસ્તુના કે પ્રસંગના પરમાર્થ તરફ તત્ત્વ તરફ હોય છે.
આ પ્રમાણે મહાસત્ત્વથી કષાયને મૃતપ્રાયઃ બનાવ્યા હેય છે. પછી તન્હાનુસારિતાથી પ્રાપ્ત સમ્યકત્વની સાથે મહાસત્વ ભળે, તેને પ્રભાવ અનેક ગુણે વધી જાય છે. પારે ભેળવી રસાયન બનાવેલું હોય, તે તે કેટલો બધે પ્રભાવ ધરાવે છે? વાત એ છે કે એ પ્રભાવને સક્રિય બનાવવું જોઈએ, ક્રિયામાં ઉતારવું જોઈએ. જેમ કે ઠારમાં ઘણું જ ભર્યું હોય, તે મળ્યા પછી જિંદગીભરનું દુઃખ જાય તેમ હોય, પણ ઉપર ઢાંકણું ઢાંકેલું રાખી તેને ઉપયોગ ન થાય તે શું કામ લાગે?