________________
૨૯૮
[ પંચસૂત્ર-૩ નહિ,” વગેરે. આમાં પણ કડક અને શિક્ષા કરનારા હોવા છતાં, કેમ બચ્ચાને ફેરફાર બતાવાય છે? એના ભાવી હિત માટે. એમાં દુનિયા માયા-કપટને દુર્ગણ નથી ગણતી.
એવી રીતે આ ઘર સંસારમાં મેહના ક્ષણિક સંબંધોમાં જ જીવન પૂરું કરી કર્મવશ અનંતવાર ભટકવાનું ક્યાં નથી કર્યું? પણ હવે તે મેહના સંબંધે ફગાવી દઈ, સૌએ રત્નત્રયીની સાધના કરવાની છે, જેથી ભવભ્રમણને અંત આવે. એમાં માતાપિતા જાત માટે ન જ સમજતા હેય, અને સંતાનને ય ન જવા દેતા હોય, તે સંતાને આ અનંત કલ્યાણને માગે જવાની રજા અંદરથી હૃદય નિર્માય રાખી બહારથી હોશિયારી કરીને પણ કાં ન લેવી? એ માટે માતાપિતાને દુઃસ્વપ્ન કહે, જોષીને લાવે. જોષી પાસે પિતાના કેઈ અનિષ્ટની શંકા કહેવરાવે. એ સાંભળી માબાપને એમ થાય કે “જે અનિષ્ટની સંભાવના હોય, તે ભલે એને ચારિત્ર અંગીકાર કરવા દો.” એમ માની માબાપ આજ્ઞા આપે, એટલે પિતે ચારિત્ર લે.
પ્ર-અહિં સત્યને વાંધો નથી આવતો? આ વચનવ્યવહાર અસત્ય નથી કહેવાતું ?
ઉ–ના, વચન કે વ્યવહારને તેના પરિણામની દષ્ટિએ જેવાને છે. જે શુદ્ધ હૃદયે કરાતા કથનનું કે વ્યવહારનું પરિણામ સ્વપરને હિતકારી હોય, તે વચન-વ્યવહાર અસત્ય નથી, પણ સત્ય છે. દા. ત. કેઈને મારવા દોડતા ખૂનીને બીજા માર્ગનું કરેલું કથન એને એ બાજુ વાળી ખૂનના પાપથી બચાવે છે, અને ધારેલા જીવના પ્રાણ પણ બચાવે છે. આમ ઉભયનું હિત કરે, એ વચન-વ્યવહાર સત્ય જ કહેવાય.