________________
૧૨૦
પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કઈ આપત્તિના પ્રસંગમાં એાછું માનું અને દુઃખી થાઉં?” વળી “ભવજલધિપતા :–ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલો હું જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કેડ છે. ભવ એટલે ચતુતિરૂપ સંસાર, તેમ વિષય અને કષાય, અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છેડાવે છે.
એગંતસરણ :–ભગવાન અરિહંત દેવે જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પિતાના અપરાધી કે નિરપરાધી સર્વે અશ્રિતનું હિત કરનારા છે, અને તે પણ અશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જે સર્વ–કલ્યાણ કરવાનો મહાન ઉપકાર બીજે કેણ કરી શકે એમ છે ? જગતના પૃથ્વીકાય અપકાય આદિ એકેન્દ્રિય સુધીના જીની ઓળખ અને દયા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવને એ ની રક્ષા કરતા કર્યા એટલું એ ઝીણું જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે? અને જે બીજો કોઈ તેવો નથી; તે એવા બીજાએનું શરણું પણ હૃદયમાં કેમ રખાય? રાખવાની જરૂર શી? માટે,
અરહંતા:સરણું અર્થાત્ અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અંત ભગવંતે મારે જાવજ જીવ શરણ છે, આશ્રય છે; એમને જ મારે આધાર છે. જગતના કહેવાતા, કલ્પિત કે નામના શરણે પર મને શ્રદ્ધા નથી. તેથી તેવા નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કઈ અવસરે મને સહાય