________________
૨૪૩
દર ખેંચાઈ ફેંકાઈ જશે ! એવા કે જ્યાં એકબીજાને પત્તો પણ નહિ ખાય ! એમ, સંસારી સગામાં જ્યાં કાળની એક થપ્પડ પડશે ત્યાં સૌને વિયેગ થતાં કેટલી વાર ? મળેલાં સગાં-સંબંધીઓ હોં ફાડીને જોઈ રહેશે અને તે દૂર દૂર અપાર ભવસાગરમાં પરાધીનપણે ક્યાંય ફેંકાઈ જઈશ. ત્યારે હવે કહે કે “મારા મારા” કર્યાને શો અર્થ ત્યાં રહેશે? ચપટી ધૂળને ય લાભ નહિ. માટે ડહાપણ રાખી બુદ્ધિના આ ભવમાં મમતાને ફગાવી દેનારી અને વિશ્વના જી સાથે કુટુંબને સમપણે જોનારી બુદ્ધિ કેળવ. વિચિત્ર રીતે સંગવિયેગો થયા કરે, ત્યાં તેને કેને સગો કહેવો? અતિ દીધ–અનાદિ એવા આ સંસારમાં અનંત વાર નવનવાં જન્મ જ્યાં થાય છે, ત્યાં કોઈ એ જીવ નથી કે જે અનેકવાર આપણા સંબંધી ન બન્યું હોય. તેથી સ્વજન એ વસ્તુ ત્યા
સ્વજન” જ નથી, આપણું માણસ જ નથી. એમ છતાં, સંસારમાં રહ્યા ત્યાં સુધી ઉચિત અને કર્તવ્ય ચૂકવાનું નહિ. પરિવારે પણ એ પ્રમાણે હૃદયમાં ચોક્કસ ભાવવાનું છે પણ પ્રશ્ન થાય કે “એ સંસારની અસારતા સાંભળે જ નહિ તે ?” તે જે વાતમાં તેમને રસ હોય તે વાત કાઢી તેમને આકર્ષી, પછી યુક્તિપૂર્વક આપણું સંસાર અસારની વાત, રસ તોડ્યા વગર જોડી દેવી. તેમ છતાં તે સમજવા માટે અશક્ત લાગે તે એના કર્મો ગાઢ છે, મોહાંધ દશા છે, એ બિચારાને કયાંથી આ વાત સમજાય” એમ પિતે સમજી એમના પ્રત્યે અનુકંપાવાળ રહેપરંતુ જરાય દ્વેષ-ઉકળાટાદિ ન કરે.
કુટુંબનું પાલન કરવામાં ધર્મ કેમ કહ્યો ? એમના આત્માને