________________ 256 લઉં, મારું શરીર કેવું સુંદર લાગે છે, હું કે પુષ્ટ છું,” આ આસક્તિ, અથવા તે, “શરીર સારું નથી રહેતું, મજા માણી શકાતી નથી, ઊંઘ નથી આવતી, પૈસા નથી મળતા, આ ચિંતાઓ ! માનવ કાળમાં તો સમજવું સહેલું છે કે પેટને ગમે તેટલું અને ગમે તેવું સારું આપીશ, પરંતુ સવાર પડતાં તે ભૂખ્યું ! તું દેહને તૃપ્ત સુવાડે, અને એ ભૂખ્યું ઊઠે! હવે એને તૃપ્ત કરવા પાછો આખો દિવસ કાઢવાન ! વાહ ! કેવી વેઠ દેહની ખાતર આત્મા ? કે આત્મા ખાતર દેહ ? વળી સુંદરમાં સુંદર મિષ્ટાન્ન આપે, એની વિષ્ટા કરે એ ! નિર્મળ ગંગાના પાણીના પિશાબ કરે એ! આવું સદાનું માંગણિયું, ભૂખણિયું અને ભીખણિયું શરીર એમ તૃપ્ત નહિ થાય, એ તે ત્યાગ-તપથી જ તૃપ્ત થાય. એવી રીતે ધન ગમે તેટલું કમાય, પણ તેને સંતોષ નથી. જડની ઈચ્છા આકાશ જેવી અનંત છે. પહેલાં હજારની, મળે તે લાખની, તે પણ મળેથી 25-50 લાખની, એમ લાભ અને પરિગ્રહ સંજ્ઞા વધતી જ ચાલે છે. તેને દેવેની પણ ઋદ્ધિ આપવામાં આવે, તેય તૃપ્તિ નહિ. પોતાનાથી ઊંચા ઊંચા સ્વર્ગની ઋદ્ધિ જોઈ બળે, ખિન્ન થાય. જડ પદાર્થની ઈચ્છાનું એ માહાસ્ય છે, કે એ ઈચ્છા પૂરી થતી જ નથી. એ તો એ પદાર્થોની ઉપેક્ષાથી મીટે, “ન જોઈએ, ન જોઈએ’ ના ના મંત્રથી શમે. તે ઉપેક્ષા ભાવ એ તૃણના ભયંકર પરિણામે હદયે વિચાર્યાથી મેળવી શકાય. પછી તે આહાર-વિષયપરિગ્રહ–સંજ્ઞાના ભુક્કા ઉડાડી શકાય. એ માટે આ યોગ્ય કાળ છે.